Rajkot: ગણપતિ મહોત્સવનો અંતિમ દિવસ છે ત્યારે ઠેર ઠેર ગણપતિ વિસર્જન કરવામાં આવે છે. ત્યારે રાજકોટમાં ત્રંબા ગામ નજીક ગણેશ વિસર્જન કરતી વખતે 4 લોકો પાણીમાં ડૂબ્યાં હતા, જેમાંથી 3 લોકોનું સફળ રેશક્યું કરવામાં આવ્યું હતું. જ્યારે 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. 

મળતી માહિતી મુજબ,ભાવનગર હાઇવે ત્રંબા ગામ નજીક ત્રિવેણી નદીમા ગણેશ વિસર્જન કરતા દરમિયાન 4 લોકો ડૂબ્યા છે. આ ધટનાની જાણ થતાં ડૂબતા લોકોનું ગામ લોકો દ્વારા રેસ્ક્યુ કર્યું હતું. ત્યારે 3 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે. આ લોકોને ગામના તરવૈયા યુવાનો દ્વારા બચાવાયા છે. આ દરમિયાન એકની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે 108માં રાજકોટ ખસેડાયો છે. ત્યારે મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ધટનાની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.