દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને સુકા મેવાના ભોગનો મનોરથ યોજાયો

dwarka

દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ સવારે ઠાકોરજીના શૃંગાર દર્શન સમયે શ્રીજીના ભાવિક ભકત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી ઠાકોરજીનને સુકા મેવાના ભોગનો મનોરથ યોજવામાં આવ્યો હતો. ગુરૂવારના કેસરી વાઘાના દૈદિપ્યમાન શૃંગાર સાથેના સુકા મેવા મનોરથનો ઉપસ્થિત બહોળી સંખ્યામાં ભાવિકોએ પ્રત્યક્ષ રીતે તથા ઓનલાઈનના વિવિધ માધ્યમોથી પણ લાખો કૃષ્ણભકતોએ આ દિવ્ય દર્શનને નિહાળ્યા હતા. સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે પણ ઠાકોરજીને દિવ્ય પુષ્પશૃંગાર યોજવામાં આવ્યો હતો.

અહેવાલ : મહેન્દ્ર કક્કડ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.