એક જ બેડશીટ અને પિલો કવરનો વારંવાર ઉપયોગ કરવાથી ચેપનું જોખમ વધી જાય છે. જો ગાદલા અને ચાદરને નિયમિત રીતે ધોવામાં ન આવે તો તેમાં લાખો બેક્ટેરિયા જમા થાય છે. તો ચાલો જાણીએ તેમને કેવી રીતે સાફ કરવું.

BEDSHIT

અનુસાર માહીતી મુજબ, તમારી પાસે આરામદાયક પલંગ હોય તો તમે વધુ સારી રીતે સૂઈ શકો છો,  પરંતુ બેડ પર સૂતા પહેલા ઓશીકાના કવર અને બેડશીટને સારી રીતે સાફ કરી લો. ત્યારે આ એટલા માટે છે કારણ કે આ બંને વસ્તુઓ બેક્ટેરિયા એકઠા કરી શકે છે. જે પાછળથી ત્વચામાં ચેપનું કારણ બને છે. તેમજ તેનો ઉપયોગ કરતા પહેલાં તેને સારી રીતે સાફ કરવું મહત્વપૂર્ણ છે.

સંશોધન મુજબ પરસેવો, ખોડો તેમજ મૃત ત્વચાના કોષો ટુવાલ અને બેડશીટમાં એકઠા થાય છે. તેમજ તેના કારણે બેક્ટેરિયા વધે છે. આના કારણે ફંગલ ઇન્ફેક્શનનો ખતરો રહે છે. તો જાણો તેમને કેવી રીતે સાફ કરવા જોઈએ.

BEDSHIT3

જો ટુવાલ, ઓશીકાના કવર અને બેડશીટ સાફ ન કરવામાં આવે તો તેમાં બેક્ટેરિયા પોતાનું ઘર બનાવી શકે છે. તેમજ જો તમે તમારો ટુવાલ, ઓશીકા અને બેડશીટ નિયમિત રીતે સાફ કરતાં નથી, તો આ વસ્તુઓનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો તેમાં રહેલી ફૂગ ત્વચાને નુકસાન પહોંચાડે છે.

જો તમે ચેપથી બચવા માંગતા હો તો દર બીજા દિવસે ટુવાલ ધોવા જોઈએ. તેમજ ત્રીજા દિવસે ઓશીકું અને બેડશીટ બદલો. આ ઉપરાંત જો તમારા ઓશીકાનો ઉપયોગ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હોય તો તેને ધોયા વિના ઉપયોગ કરશો નહીં.

BEDSHIT1

બેડશીટ્સ, ટુવાલ અને ઓશીકાના કવર ગરમ પાણીથી ધોવા જોઈએ. આ રીતે ધોવાથી તેમાં રહેલા તમામ કીટાણુઓ સરળતાથી ખતમ થઈ જાય છે. તેમજ આ બધી વસ્તુઓ ધોવા માટે મિનરલ આધારિત ફેબ્રિક સોફ્ટનરનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ઓશીકું કવર અને ટુવાલ નરમ તેમજ સ્વચ્છ રહેશે.

Keep bed sheets and pillows in sunlight

આ દરમિયાન સૌથી મહત્વની બાબત એ છે કે આ બધી વસ્તુઓને સૂર્યપ્રકાશમાં તપાવવા રાખવી. તેમજ આ બેક્ટેરિયાને ખતમ કરે છે. તે માત્ર બેડશીટ જ નહીં, પરંતુ ગાદલાને પણ સૂર્યપ્રકાશમાં આવવું મહત્વપૂર્ણ છે. તેમજ શિયાળાની ઋતુમાં ભીનાશની સમસ્યા રહે છે. આદરમિયાન સારા સૂર્યપ્રકાશમાં તેમને ઓછામાં ઓછા 5 થી 6 કલાક માટે સૂર્યપ્રકાશમાં રાખો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.