• ત્યકતાએ દુપટ્ટા વડે ફાંસો ખાઈ લીધા બાદ કારખાનેદાર યુવકે મિત્રને ફોનથી જાણ કરી જીવન લીલા સંકેલી લેતા અરેરાટી

રાજકોટ શહેરના રેલનગર સ્થિત શ્રીજી રેસીડેન્સીમાં પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. કારખાનેદાર યુવક અને ત્યકતા મહિલાને ઇન્સ્ટાગ્રામ થકી પરિચય થતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. પરિણીતાને અગાઉ બે વાર છૂટાછેડા થઇ ગયાં હોવાથી પરિવાર આ સંબંધ નહિ સ્વીકારે તેવા ભયથી પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધાનું પ્રાથમિક ચિત્ર ઉપસી આવ્યું છે. અત્યંત ઉલ્લેખનીય બાબત છે કે, શ્રીજી રેસીડેન્સીના બ્લોક નંબર 10માં પ્રથમ ત્યકતાએ દુપટ્ટાં વડે ફાંસો ખાઈ લીધા બાદ કારખાનેદાર યુવકે તેના મિત્રને સમગ્ર બાબતે ફોન મારફત વાકેફ કરી પોતે પણ ગળાફાંસો ખાઈ લેતા ભારે અરેરાટી મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગત અનુસાર કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે રહેતા અક્ષય શૈલેષભાઇ કલોલિયા (ઉ.વ.29) પોતે અટીકા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ડાય બનાવવાનું કારખાનું ધરાવતો હતો. જયારે તૃપ્તિ મહેન્દ્રસિંહ પરમાર(ઉ.વ.37) ત્યકતા હતી. મૃતક મહિલાના પહેલા લગ્ન 16 વર્ષ પૂર્વે થયાં હતા. જ્યાંથી છૂટાછેડા લીધા બાદ તેણે ભાવેશભાઈ નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જ્યાંથી મહિલાને એક 12 વર્ષનો પુત્ર પણ હતો. જે બાદ ત્યાંથી પણ મૃતક મહિલાના છૂટાછેડા થઇ ગયાં હતા. જે બાદ ત્યકતાનો ઇન્સ્ટાગ્રામ મારફત અક્ષય કલોલિયા સાથે સંપર્ક થયો હતો. થોડો સમય સોશિયલ મીડિયામાં વાતચીત કર્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું હોય એક માસ પૂર્વે યુવક અક્ષય અમદાવાદ જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. જે પછી યુગલ એક અઠવાડિયા પૂર્વે રેલનગરના શ્રીજી રેસીડેન્સીમાં ભાડેથી રહેવા આવ્યા હતા. જ્યાં બંને પરિણીત હોવાનું સોસાયટીના સભ્યોને જણાવ્યું હતું. દરમિયાન ગત રાત્રે શ્રીજી રેસીડેન્સીના બ્લોક નંબર 10માં પ્રથમ તૃપ્તિ પરમારે દુપટ્ટાં વડે પંખામાં ટીંગાઈ ગળાફાંસો ખાઈ લીધો હતો. જે બાદ અક્ષયે તેના એક મિત્રને ફોન કરીને સમગ્ર ઘટનાથી વાકેફ કરી ફોન મૂકી દીધો હતો અને ત્યારબાદ અક્ષયે પણ ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

એકના એક પુત્રે આપઘાત કરી લેતા પરિવાર પર દુ:ખનું આભ ફાટ્યું

પ્રાપ્ત વિગત અનુસાર મોત વ્હાલુ કરી લેનાર અક્ષય કલોલીયા શૈલેષભાઈનો એકનો એક પુત્ર હતો. શૈલેષભાઇને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર હતો. પુત્રીના લગ્ન થઇ ગયાં હોવાનું જાણવા મળ્યું છે જયારે અક્ષય અપરિણીત હતો. એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

ત્યકતાના અગાઉ બે વાર છૂટાછેડા થઇ ગયાં’તા : 12 વર્ષનો પુત્ર નિરાધાર

પ્રાપ્ત વિગત અનુસાર મૃતક તૃપ્તિના 16 વર્ષ પૂર્વે લગ્ન થયાં હતા જ્યાં મનમેળ નહિ થતાં છૂટાછેડા થઇ ગયાં હતા. જે બાદ ભાવેશભાઈ નામના યુવક સાથે ત્યકતાએ પ્રેમલગ્ન કર્યા હતા. જે લગ્નથી એક પુત્રનો જન્મ પણ થયો હતો. જે પુત્રની ઉમર હાલ 12 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. પુત્રના જન્મ બાદ તૃપ્તિના છૂટાછેડા થઇ ગયાં હતા તેવું પણ જાણવા મળ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.