ગીર સોમનાથ: દશેરા નિમિત્તે ગીર સોમનાથ શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના હસ્તે પૂજા કરવામાં આવી હતી. પોલીસ હેડક્વાર્ટર ઉપરાંત જિલ્લાના સૂત્રાપાડા, ઉના, ગીરગઢડા, કોડિનાર સહિતના પોલીસ સ્ટેશનમાં શસ્ત્રપૂજા કરવામાં આવી હતી.

જેમાં ઈણાજ ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને બ્રાહ્મણો દ્વારા વિધિસર વૈદિક મંત્રોચ્ચાર સાથે પુષ્પ શણગાર દ્વારા શસ્ત્રપૂજા કરાવવામાં આવી હતી અને સમગ્ર ગીર સોમનાથ શહેરમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર, વેરાવળ ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક, એસ.ઓ.જી, એલ.સી.બી. ડિવિઝનના અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ તેમજ એસ.પી. ઓફિસના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અતુલ કૉટૅચા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.