- સગીરને માર મારવાની ઘટનાંમાં અતે ઘીનાં ઠામમાં ઘી પડયું
- ગોંડલને બદનામ કરવા બહારનાં તત્વો પાછું વાળીને જોતા નથી-જયરાજસિહ જાડેજા: બન્ને પિડીતોનાં પરીવારે સમાધાન સ્વિકાર્યુ
- ગોંડલમાં સગીરને માર મારવાની ઘટનાએ જ્ઞાતિવાદી સ્વરૂપ લેતા એક તબ્બકે પાટીદાર તથા ક્ષત્રીય સમાજ આમને સામને આવી આવેદનપત્રો આપી ગોંડલ બંધ સુધી વાત પંહોચતા ગોંડલ નું વાતાવરણ ડહોળાયું હતું.
જ્ઞાતિ વૈમેનસ્ય ની આગ લબકારા મારે તે પહેલા પાટીદાર સમાજનાં પીઢ આગેવાનો તથા ક્ષત્રીય સમાજ ઉપરાંત બન્ને પિડીતોનાં પરીવારોને પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ એક મંચ પર લાવતા બન્ને સમાજે સમાધાન માટે હાથ લંબાવતા વિવાદનો સુખદ અંત આવ્યો હતો.સાથોસાથ ઘટનામાં કુદી પડી વાતાવરણ ને ડહોળનારાં તત્વોને કારણે બન્ને સમાજ ગુમરાહ થયાની પણ સ્પષ્ટતા કરાઇ હતી.
પાટીદાર સગીરને માર મારવાની અને ક્ષત્રીય પરીવારનાં બાળકની સતામણીની ઘટનાએ છેલ્લા એક અઠવાડિયાથી ગોંડલનો માહોલ ગરમાયો હતો. ગોંડલની શાંતિ ડહોળાતા જયરાજસિહ જાડેજાએ બન્ને પીડિતોના પરીવાર તથા પાટીદાર તથા ક્ષત્રીય સમાજનાં જવાબદાર આગેવોનોની હાજરીમાં રિવર સાઈડ પેલેસ ખાતે બેઠક કરી સમાધાનની ભુમીકા ઉભી કરી હતી.પિડીત સગીરનાં પિતા સમીરભાઈ લક્ષ્મણભાઈ સાટોડીયા એ સ્પષ્ટતા કરી કે મારે કોઇ જ્ઞાતિ સાથે ક્યારેય કોઈ જગડો નથી.સમાધાનથી અમને રાજીપો છે.આ વાત હવે અહી પુરી થાય છે. જ્યારે અન્ય પિડીત બાળકનાં મામા પ્રતિપાલસિંહ ગોહિલે પણ સમાધાન સ્વિકારી રાજીપા સાથે વાતને પુરી કરી હતી. જયરાજસિહ જાડેજાએ કહ્યુ કે ઘટના દુ:ખદ હતી.પણ કેટલાક પરીબળો દ્વારા મોટો હાઉ ઉભો કરી દેવાયો હતો.ગોંડલને બદનામ કરવામાં કોઇ એ પાછુ વાળીને જોયુ નથી. બન્ને પક્ષે સમજદારી દાખવી સાચી વાતને સ્વિકારીછે.તે બદલ બન્ને પરીવાર તથા સમાજનો આભાર વ્યક્ત કરી આપણી શાંતિ સંગઠન કાયમી જળવાઇ રહે તે માટે ઉપસ્થિત તમામ સમાજ ને અપીલ કરી હતી. બેઠકમાં ઉપસ્થિત યુવા અગ્રણી ગણેશભાઈ એ કહ્યુ ગોંડલમાં આકસ્મિક કંઈ પણ ઘટના બને તો ગોંડલને બદનામ કરવાનો સિલસિલો શરુ થયોછે.ત્યાં સુધી કે ગોંડલને મિર્ઝાપુર ગણાવી દિધુ છે.આવા ટપોરીઓ ને કહેવાનું કે અહી અઢારે આલમનાં લોકો વચ્ચે ભાઇચારો છે. એ લોકોનાં વૈમેનસ્યનાં સપના ક્યારેય પુરા નહી થાય. મનસુખભાઈ સખીયાએ કહ્યુ કે મુઠ્ઠીભર તત્વો વાતાવરણ ડહોળવા પ્રયત્ન કરેછે.તો કેટલાક ટીઆરપી વધારવાં જુઠ્ઠી હકીકતો રજુ કરી રહ્યાછે.પણ આજે બધુ સ્પષ્ટ થઇ ગયુ છે. માર્કેટ યાર્ડ નાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ કહ્યુ કે ગોંડલ માં ગુંડારાજ ચાલેછે.જો એવુ હોય તો હમણાં જ એક વિઘા જમીન નો રુ.છ કરોડ પીસ્તાલીશ લાખ માં સોદો થયો.કારણ કે ગોંડલ વિકસિત છે.ગોંડલ ની છબી ખરડવાનાં કેટલાક લોકો ઇશ્યુ ઉભા કરેછે.મિડિયાને ગુમરાહ કરી આ લોકો જયરાજસિહ તથા તેના પરીવાર ને બદનામ કરવાનુ મિશન ચલાવી રહ્યા છે.
ક્ષત્રીય સમાજ નાં પીઢ આગેવાન કનકસિંહ જાડેજાએ કહ્યુ કે બન્ને પક્ષે કોઇ વેરઝેર નથી.કે નથી પુર્વયોજીત કાવત્રુ. બનાવ માત્ર આવેશ માં બન્યોછે.બધાય થી મોટુ ધન સમાધાન છે.જયરાજસિહ ને મતની પેટીમાં પંહોચી શકતા ના હોય તેવા લોકો સમજણ વગરનું અર્થઘટન કરી વાતાવરણ બગાડી રહ્યાછે. બેઠકમાં પાટીદાર આગેવાન કુરજીભાઈ ભાલાળા, અશોકભાઈ પરવડીયા, પિન્ટુભાઈ સાટોડીયા, જીગરભાઈ સાટોડીયા, સામતભાઇ બાંભવા, અમૃતભાઇ મકવાણા, આશીફભાઈ જકરીયા સહીતે જણાવ્યુ કે બન્ને પક્ષોએ સમજુતી દાખવી સમાધાન નો રાહ અપનાવી બનાવ ને ઇશ્યુ બનનાર લેભાગુ તત્વોને કરારો જવાબ આપ્યો છે.
બેઠકમાં ગોપાલભાઈ શિંગાળા, અગ્રણી ઉધ્યોગપતિ લક્ષ્મણભાઈ પટેલ, અશોકભાઈ પીપળીયા, પ્રફુલભાઈ ટોળીયા, શહેર તાલુકા રાજપૂત ક્ષત્રીય સમાજના પ્રમુખ હેમભા ઝાલા, પિન્ટુભાઈ ચુડાસમા, બટુકભાઈ ઠુંમર, યોગેશભાઈ કીયાડા, કચરાભાઇ વૈશ્ર્નવ,વિવિધ જ્ઞાતિઓનાં આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.