ભાયાવદરમાં એચ. એલ. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને પી.ટી. માકડીયા લો કોલેજ ખાતે વકતૃત્વ સપ્ર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ આયોજન સપ્તધારા અંતર્ગત કરવામાં આવ્યું હતું. જેમાં સાયબર સિક્યુરિટી ડિજિટલ યુગનો પડકાર, સમાજના નવનિર્માણમાં યુવાનોનું યોગદાન, નારી સુરક્ષા આજના સમયની તાતી જરૂરિયાત, ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી કેન્સર જેવા વિવિધ વિષયો પણ આપવામાં આવ્યા હતા. તેમજ આ તમામ વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા.

આ સાથે આ વક્તૃત્વ સ્પર્ધામાં 15 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ સ્પર્ધાના કન્વીનયર ડૉ. મીનાબેન પટેલે વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આ ઉપરાંત પ્રિન્સિપાલ ડૉ. એમ.ડી. સવસાણીએ સ્પર્ધક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ .વાંઝા દ્વારા કરવામાં આવ્યું હતું.

વિજયભાઈ કુનાતિયા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.