- એચ.જે.લાલ ચેિરટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા
જામનગર શહેરમાં વસવાટ કરતા પિરવારના જે સંતાનોને રાઈટ ટુ એજયુકેશન (આર.ટી.ઈ.) હેઠળ પ્રવેશ મેળવવો હોય તેમના માટે શહેરની સેવાક્યિ સંસ્થા હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન જામનગર દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવા માટે ની ખાસ વ્યવસ્થા ગોઠવવા માં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજયુકેશન એકટ – ર009 ની 1ર (1) ક એટલે કે આર.ટી.ઈ.એકટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિધાર્થીઓની સંખ્યાના રપ ટકા મુજબ વિનામૂલ્યે ધોરણ-1 માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે જે બાળકોએ 1 જુન ર0રપ ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલા હોય તેવા બાળકોને પોતાના વિસ્તારની ત્રણ કિલોમીટરની ત્રિજયા માં આવતી ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે.
આ વિનામૂલ્યે પ્રવેશ મેળવી ફ્રી શિક્ષણ અધિકાર મેળવવા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહીનો જામનગરની સંસ્થા એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી તા.ર8-0ર-ર0રપ થી તા.1ર-03-ર0રપ સુધી દરરોજ સવારે 10-30 થી બપોરે 1-30 વાગ્યા દરમ્યાન ત્રણબતી પાસે આવેલા એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યાલય (ઝુલેલાલ મંદિર સામે) ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારના આર્થિક રીતે નબળા પિરવારના વિધાર્થીઓ પોતાના વિસ્તારમાં આવેલા ખાનગી શાળાઓમાં વિના મુલ્યે શિક્ષણ મેળવવા ઈચ્છતાં હોય તેમના વાલીએ જરૂરી ડોક્યુમેન્ટની ઝેરોક્ષ નકલો સાથે ટ્રસ્ટના કાર્યાલયનો સંપર્ક સાધવા એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા અનુરોધ કરાયો છે.
જામનગરના આર્થિક રીતે નબળા વિધાર્થીઓ કે જેઓ ફ્રિ શિક્ષણ મેળવવા માંગે છે તેવા વિધાર્થીઓએ બી.પી.એલ.કાર્ડ અથવા મામલતદારનો આવકનો દાખલો, માતા-પિતા, વિધાર્થીનું આધારકાર્ડ, વિધાર્થી અથવા વાલીની બેંકની પાસબુકની ઝેરોક્ષ અને રાશનકાર્ડની ઝેરોક્ષ, જાતિનો દાખલો, લાઈટબીલની ઝેરોક્ષ, વિધાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો વિગેરે ડોક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે. પ્રવેશ મેળવવા માટે વિધાર્થીની ઉંમર 1-જુન ર0રપ ના રોજ છ વર્ષ પૂર્ણ થવી જોઈએ.