Navratri 2024 : તમે ઘણીવાર જોયું હશે કે નવરાત્રિનો તહેવાર શરૂ થતાં જ સૌથી પહેલા કળશની સ્થાપના કરીને તેની પૂજા કરવી પડે છે. આ સાથે હિંદુ ધર્મમાં નવરાત્રિના પહેલા દિવસે કળશની સ્થાપના કરવાનું ખૂબ મહત્વ છે. કળશને દેવી માં દુર્ગાનું પ્રતિક માનવામાં આવે છે. તેમજ કળશમાં જળ, અક્ષત, કંકુ, નાડાછડી વગેરે ભરીને તેની સ્થાપના કરીને દેવી માં દુર્ગાનું આહ્વાન કરવામાં આવે છે. આ પરંપરાને હિન્દુ ધર્મના લોકો વર્ષોથી ઉજવે છે. તેમજ એવું માનવામાં આવે છે કે કળશ માતા દુર્ગાની શક્તિનું પ્રતીક છે અને કળશ સકારાત્મક ઉર્જાનું પણ પ્રતીક છે. જે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.

પંચાંગ અનુસાર, આ વર્ષે આસૌ મહિનાની શુક્લ પક્ષની એકમ તિથિ 3 ઓક્ટોબરે 00:18 વાગ્યે શરૂ થશે. અને 4 ઓક્ટોબરે સવારે 02:58 વાગ્યા સુધી માન્ય રહેશે. આ સ્થિતિમાં, ઉદયતિથિના આધારે, આ વર્ષે શારદીય નવરાત્રિ 3જી ઓક્ટોબર, ગુરુવારથી શરૂ થશે.

kalsh 1 1

કળશની સ્થાપના માટેનો શુભ સમય

શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે કળશ સ્થાપિત કરવા માટે બે શુભ મુહૂર્ત છે. કળશની સ્થાપના માટેનો પ્રથમ શુભ સમય સવારે 6.15 થી 7.22 સુધીનો છે અને તમને ઘાટ સ્થાપવા માટે 1 કલાક અને 6 મિનિટનો સમય મળશે. આ ઉપરાંત બપોરના સમયે કળશની સ્થાપના કરવાનો સમય પણ અભિજીત મુહૂર્તમાં છે. આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. તમે દિવસ દરમિયાન કોઈપણ સમયે સવારે 11:46 થી બપોરે 12:33 વચ્ચે કળશની સ્થાપના કરી શકો છો. તેમજ તમને બપોરે 47 મિનિટનો શુભ સમય મળશે.

કળશની સ્થાપના કરવાની વિધિ

– કળશ સ્થાપિત કરવા માટે સ્વચ્છ અને પવિત્ર સ્થાન પસંદ કરો અને આ સ્થાન પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ.

– કળશની સ્થાપના કરતી વખતે એક બાજોટ કે પાટલી લો, ત્યારબાદ તેના પર લાલ કપડું મુકો અને  તેના પર ચોખા, ઘઉં, જવ, મગ જે ઉપલબ્ધ હોય તેના પર રાખો અને ત્યારબાદ કળશ મુકો, તેમાં શુદ્ધ જળ નાખો, તેના પર આસોપાલવના પાન મુકો અને તેના પર શ્રી ફળ મુકો. કળશને ફરતે નાળાછળી બાંધો.

– કળશની આજુબાજુ રંગોળી કરો અને શણગારો.

– દેવી માતાના મંત્રોનો જાપ કરો અને ધૂપ પ્રગટાવો.

કળશની સ્થાપના માટેના નિયમો

નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપિત કરતી વખતે સ્નાન કરો અને શુદ્ધ રહો. આ સાથે કળશની સ્થાપના દરમિયાન મનમાં કોઈ નકારાત્મક ભાવના ન હોવી જોઈએ. તેમજ સમગ્ર નવરાત્રિ દરમિયાન વિધિ પ્રમાણે કળશની પૂજા કરો અને નવમા દિવસે કળશનું વિસર્જન કરો.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

kalsh 1

વાસ્તુ અનુસાર નવરાત્રિના પહેલા દિવસે કળશને યોગ્ય દિશામાં સ્થાપિત કરવાથી લોકોના ઘરમાંથી વાસ્તુ દોષ દૂર થાય છે. તેમજ કળશ પવિત્રતાનું પ્રતિક છે. કળશ આપણને પવિત્રતા જાળવવાની પ્રેરણા આપે છે. કળશની સ્થાપના કરવી શુભ છે. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપિત કરવા માટે શુભ સમય પસંદ કરવો પડે છે. આ સાથે ઘરના પૂજા સ્થાન અથવા કોઈ સ્વચ્છ સ્થાન પર કળશ સ્થાપિત કરવું સૌથી યોગ્ય માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.