Navratri 2024 : નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. તેમજ દેવી શ્વેત વર્ણવાળી છે અને તેમનું વાહન વૃષભ છે. આ સાથે શ્વેત વર્ણવાળી હોવાના કારણે તેમનું નામ મહાગૌરી છે. તેમજ નારદની સલાહ પર તેમણે ભગવાન મહાદેવ સાથે લગ્ન કરવાનો સંકલ્પ લીધો હતો. આ માટે તેમણે કઠોર તપસ્યા કરી હતી.

માં મહાગૌરીનું સ્વરૂપ કેવું છે

mahaguri

આ કઠોર તપના કારણે તેમનું શરીર કાળું પડી ગયું હતું. તેમની કઠોર તપસ્યાથી મહાદેવ પ્રસન્ન થયા અને તેમની પ્રાર્થના સ્વીકારી હતી. જ્યારે તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન મહાદેવ તેમને વરદાન આપવા આવ્યા ત્યારે તેમણે પાર્વતીજીને ગંગાજળથી ધોયા તો તેઓ ફરીથી ગૌર અર્થાત્ ગોરા રંગવાળા બની ગયા. ત્યારે તુલસીદાસજીએ પોતાની રચનમાં પાર્વતીની તપસ્યાનો ઉલ્લેખ કર્યો છે. તેમના ગોરા રંગની સરખામણી શંખ અને ચંદ્ર સાથે કરવામાં આવે છે.

કિશોરી અવસ્થામાં માતા સફેદ વસ્ત્રો ધારણ કરતા હતા. તેમની ચાર ભૂજાઓ છે. જમણી બાજુ ઉપરનો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના હાથમાં ત્રિશૂળ છે. તેમજ ઉપરની તરફ ડાબા હાથમાં ડમરુ છે અને નીચેનો હાથ અભય મુદ્રામાં છે. તેમજ માતાજીનું વાહન વૃષભ છે.

મહાગૌરી પૂજા મંત્ર

श्वेते वृषे समरूढा श्वेताम्बराधरा शुचिः।।

महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा।।

મહાગૌરીની પૂજાના ફાયદા

મહાગૌરીની પૂજા ખૂબ જ ફળદાયી છે. તેમની પૂજા કરવાથી તમામ પાપનો નાશ થાય છે. તેમજ અનેક જન્મોના સંચિત પાપ પણ દૂર થાય છે. આ સાથે આવનારા પાપોનો અગાઉથી નાશ થવાની સંભાવના રહે છે. તેમજ અક્ષય પુણ્યોનો ઉદય થાય છે. ભક્તો દ્વારા મનથી કરવામાં આવેલી પૂજાથી દેવી અપાર ફળ આપે છે.

દેવી પુરાણ અનુસાર આ દિવસે 8 કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે. તેમજ સ્ત્રીઓ આજે જાંબલી રંગના કપડાં પહેરે છે. આ દરમિયાન ઘણા લોકો આ દિવસે હવન અને કન્યા પૂજા કરે છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.