જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો જેમાં જિલ્લા કલેકટર  એસ.કે.મોદીના અધ્યક્ષસ્થામાં 16 જેટલી અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ કરાયું હતું. જિલ્લા કલેકટર એસ.કે. મોદીના અધ્યક્ષતા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 16 જેટલી અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ નિકાલ કરાયો હતો. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રશ્નોના નિકાલ કરવા સૂચના પણ આપી હતી. જિલ્લા કલેકટરએ તમામ અરજદારોની સમસ્યા સાંભળી નિયત સમયમાં હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી.

આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે, જમીનની માપણી, હેન્ડપંપ (પાણીની સમસ્યા), જાતિ (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ)નું પ્રમાણપત્ર કાઢી નહી આપવામાં બાબત, વાડાની જમીનમાં આવેલ વીજ-વાયરો તથા વીજપોલ હટાવવા તથા જૂનું જર્જરીત વટવૃક્ષ કાપવા બાબતે, જર્જરિત મકાનને તોડવા માટે પરવાનગી આપવા જેવા અનેક પ્રશ્નોનો જિલ્લા કલેકટરએ સ્થળ પર જ ત્વરિત નિકાલ કર્યો હતો. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર સી.કે. ઉંધાડ, નાયબ કલેકટર પ્રોટોકોલ એન. એફ. વસાવા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.