દર વર્ષે કારતક મહિનાની અમાસના દિવસે દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે. સનાતન ધર્મમાં દિવાળીનો તહેવાર તમામ તહેવારોમાં સૌથી મોટો માનવામાં આવ્યો છે. ત્યારે આ દિવસે માતા લક્ષ્મી અને ગણપતિની પૂજા કરવામાં આવે છે. તેમજ દિવાળીના થોડા દિવસ પહેલા જ સાફ-સફાઈ શરૂ થઈ જાય છે. આ દિવસે ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે. દિવાળીનો તહેવાર ભગવાન રામના 14 વર્ષના વનવાસથી પાછા ફરવાની ખુશીમાં મનાવવામાં આવે છે.

જ્યોતિષ અનુસાર દિવાળીના દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવાથી જીવનભર ધન-સંપત્તિની અછત રહેતી નથી. આ સાથે જ આ દિવસે અમુક વસ્તુઓ ઘરમાં લાવવી પણ શુભ માનવામાં આવે છે. તેમજ આ વસ્તુઓને ઘરમાં રાખવાથી લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા રહે છે.

લાલ વસ્ત્ર

દિવાળીના દિવસે નવા વસ્ત્ર પહેરવામાં આવે છે. આ સાથે જ આ દિવસે લાલ રંગના વસ્ત્ર ખરીદવા પણ શુભ માનવામાં આવે છે. તેમજ આ દિવસે લાલ રંગના વસ્ત્ર ઘરે લાવવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે.

શણગારનો સામાન

લાલ વસ્ત્ર

દિવાળીના દિવસે શણગારનો સામાન ખરીદીને લાવવો શુભ માનવામાં આવે છે. તેમજ આ દિવસે શણગારના સામાન સાથે લાલ સાડી પણ ખરીદવી શુભ હોય છે. આ દરમિયાન માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

શ્રીયંત્ર

શ્રીયંત્ર

દિવાળીના દિવસે શ્રીયંત્ર ખરીદીને ઘરે લાવવુ અને સ્થાપના કરવી બંને શુભ માનવામાં આવે છે. તેમજ આ દિવસે શ્રીયંત્રને ખરીદીને ઘરે લાવવાથી ધનની વૃદ્ધિ થવા લાગે છે અને વ્યક્તિ રાજાની જેમ જીવન જીવે છે.

ગોમતી ચક્ર

gomti

શ્રીયંત્રની જેમ જ દિવાળીએ ગોમતી ચક્ર ખરીદીને લાવવુ પણ ખૂબ શુભ માનવામાં આવે છે. તેમજ તેનાથી ઘર-પરિવાર સંપન્ન થાય છે. દિવાળીના દિવસે 11 ગોમતી ચક્ર ખરીદીને ઘરે લાવો તેનાથી માતા લક્ષ્મીની ખાસ કૃપા વરસશે અને ધન-ધાન્યની અછત ક્યારેય રહેશે નહીં.

લક્ષ્મી-ગણેશની મૂર્તિ

લક્ષ્મી ગણેશની મૂર્તિ

દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશની મૂર્તિ ખરીદીને ઘરે લાવવી પણ શુભ માનવામાં આવે છે. તેમજ આ દિવસે લક્ષ્મી-ગણેશની મૂર્તિ ઘરે લાવવાથી આખુ વર્ષ માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે અને ધનની અછત રહેતી નથી.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.