• મોરબી – વાંકાનેર ડેમુ ટ્રેન રસ્તા વચ્ચે પડી બંધ
  • 300થી 400 જેટલા મુસાફરો ફસાઈ
  • મુસાફરોમાં જોવા મળ્યો રોષ

મોરબી ન્યૂઝ : મોરબીથી વહેલી સવારે છ વાગ્યે ઉપડેલી મોરબી – વાંકાનેર ડેમુ ટ્રેન રસ્તા વચ્ચે બંધ પડી ગઈ હતી. આ ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે બંધ પડી જતા અંદાજે 300થી 400 જેટલા મુસાફરો ફસાઈ ગયા હતા. મોટાભાગના મુસાફરો વાંકાનેરથી ઇન્ટરસિટી સહિતની કનેકટિંગ ટ્રેન પકડવા માટે મુસાફરી કરી રહ્યા હતા. જેના કારણે ડેમુ ખોટવાતા તમામ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

આ ઉપરાંત બીજી તરફ વાંકાનેર પહોંચેલા ડેમુ ટ્રેનના મુસાફરોને અમદાવાદ જવા માટે વંદે ભારત ટ્રેનમાં પણ ચડવા દેવામાં ન આવ્યા હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું. આ મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ વાંકાનેર સ્ટેશન પ્રબંધકને હેરાનગતિ મામલે રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.