રાજ્યમાં દર વર્ષે ગણેશોત્સવ બાદ મૂર્તિ વિસર્જન સમયે ડૂબી જવાના અનેક બનાવો બનતા હોવાની સાથે ગણેશજીની પ્રતિમા બનાવવામાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટર ઓફ પેરિસને કારણે પ્રદુષણ ફેલાતું હોવા ઉપરાંત જળચર જીવોની જિંદગી જોખમમાં મુકાતી હોય મોરબીમાં પણ ગણેશોત્સવ બાદ મૂર્તિ વિસર્જન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. સાથે જ મોરબી નગરપાલિકા દ્વારા ચાર સ્થળે કલેક્શન સેન્ટર ઉભા કરી કૃત્રિમ કુંડમાં મૂર્તિ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે, આમ છતાં મોરબીના રવાપર રોડ ઉપર સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવનું આયોજન કરનાર અરવિંદભાઈ છગનભાઇ બારૈયા અને મયુરનગરી કા રાજા ગણેશોત્સવનું આયોજન કરનાર વિશ્વાસ વલ્લભભાઈ ભોરણીયાએ ખાનગી ક્રેઇન બોલાવી કંડલા બાયપાસ ઉપર જુના આરટીઓ પાસે મચ્છુ -3 ડેમમાં વિશાળ મૂર્તિ વિસર્જિત કરતા મોરબી તાલુકા પોલીસે બન્ને આયોજકો વિરુદ્ધ બીએનએસ કાયદાની કલમ 223 તેમજ 125 અને જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

જે અંગે મોરબીમાં ગણપતિ ઉત્સવના આયોજકો વિરૂદ્ધ ગુનો નોંધવા મામલે આયોજકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો જેથી આયોજકોએ પત્રકાર પરિષદ યોજી DYSP પી. એ.ઝાલા કિન્નાખોરી રાખતા હોવાના આક્ષેપ કરતા હતા તેમજ

આખી રાત રકઝક કર્યા બાદ તંત્રની મૌખિક મંજૂરી લઈને મૂર્તિ વિસર્જન કરી હોવાનો આયોજકોએ દાવો કર્યો હતો.આ ઉપરાંત વધુ માં તેઓએ જણાવ્યું હતું કે પોલીસ તંત્રની હાજરીમાં મચ્છુ ૩ ડેમમાં મૂર્તિ વિસર્જન કરવામાં આવી હતી

ત્યારે પોલીસે રોક્યા નહિ અને બાદમાં ગુનો નોંધી વ્યક્તિગત નુકશાન કરવાના ઇરાદે ગુનો નોંધવામાં આવ્યો છે.આ સાથે ગુન્હો ન નોંધવાની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી.

ઋષિ મહેતા 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.