દરેક વ્યકિતના જીવનમાં જન્મદાત્રી માતાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતા હિરાબાનો આજે શતાયુ જન્મદિન છે આ પાવન દિવસે આજે સવારે પીએમ વહેલી સવારે ગાંધીનગર સ્થિત રાયસણ હિલ ખાતે નાનાભાઇની સાથે રહેતા માતા હિરાબાના આશિર્વાદ લેવા પહોંચી ગયા હતા.

પુત્ર ભાવે પૂ. હિરાબાના ચરણમાં બેસી તેઓના ચરણ પખાલ્યા હતા. માતાનું મોઢુ મીઠુ કરાવ્યું હતું અને ભગવાન તેઓને સ્વસ્થ તથા દિધાર્ય આપે તેવી પ્રાર્થના કરી હતી. માતાની ઉભર 100 વર્ષે પહોંચી હોય છતાં પરિવાર પર સતત તેઓના આશીર્વાદ વરસતા હોય એક પુત્ર માટે આથી શ્રેષ્ઠ શ્રણ કોઇ હોતી નથી જયારે પુત્ર દેશના સર્વોચ્ચ હોદા પર બિરાજમાન હોવા છતાં માતૃસેવાની ભરપુર લાગણી ધરાવતા હોય તેથી ભાગ્યવાન ક્ષણ કોઇ માતા માટે નથી હોતી. આજે માતા હિરાબાને નરેન્દ્રભાઇએ જન્મદિનથી પુત્ર ભાવે શુભેચ્છા પાઠવી મોઢુ પણ મીઠુ કરાવ્યું હતુ આ ક્ષણ ખરેખર ભારત વર્ષ માટે ઐતિહાસિક ઘડી બની રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.