• પ્રેમી સાથે સહજીવન માટે અજ્ઞાત વ્યક્તિને ઉઠાવી જઈને કરી હત્યા
  • મૃતકની ઓળખ કરવા કાર્યવાહી હાથ ધરાઇ
  • CCTV કેમેરા દ્વારા કરાશે તપાસ
  • બંને આરોપીએ અન્ય ગુના કર્યા અંગે પણ થશે તપાસ
  • મૃતકના પરિવાર અંગે શોધખોળ શરૂ

ભુજ તાલુકાના ખાવડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખારી ગામના એક પ્રેમી પંખીડાએ પ્રેમમાં અંધ બની કોઈ એક અજાણ્યા વ્યક્તિની હત્યા કરી, પોતે આત્મહત્યા કરી લીધી છે તેવું પ્રતિપાદિત કરવાની કોશિશ કરીને ફરાર થઈ ગયા હતા. આરોપીઓએ અજાણ્યા વ્યક્તિની હત્યા કરી મૃતદેહને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રેમી પંખીડાને આખરે પોલીસે રાપર તાલુકામાંથી ઝડપી લીધા છે. ત્યારબાદ જેની હત્યા થઈ છે એ વ્યક્તિ કોણ છે તેની તપાસો સાથે પોલીસે  ક્રિમિનલ પ્રેમીઓને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપી રામી અને અનિલ ગાગલ પાસેથી એકત્ર કરાયેલી કડીબદ્ધ વિગતોના આધારે આ કિસ્સામાં અત્યાર સુધી સ્પષ્ટ ન થયેલી મોટાભાગની કડીઓ સામે આવી હતી. જેમાં ભુજ તાલુકાના ખાવડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખારી ગામના એક પ્રેમી પંખીડાએ પ્રેમમાં અંધ બની કોઈ એક અજાણ્યા વ્યક્તિની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લીધી છે તેવું પ્રતિપાદિત કરવા ની કોશિશ કરીને ફરાર થઈ ગયેલા આ પ્રેમી પંખીડાને આખરે પોલીસે રાપર તાલુકા માંથી ઝડપી લીધા બાદ જેની હત્યા થઈ છે એ વ્યક્તિ કોણ છે તેની તપાસો સાથે પોલીસે આ ક્રિમિનલ પ્રેમી પંખીડાને પોલીસે રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

તેમજ કોઈપણ અપરાધ ક્યારે પણ કાયમ માટે છુપાવી શકાતું નથી એ હકીકત છે તેની પુષ્ટિ કરતી આ ઘટનાની વિગત એવા પ્રકારની છે કે ખારી ગામના આહિર જ્ઞાતિના અનિલ ગાંગલ અને રામી નામની યુવતી વચ્ચે આંખ મળી ગયા બાદ પ્રેમમાં અંધ બનેલ આ બને પ્રેમી પંખીડા સમાજની રૂઢિચુસ્તતા પ્રમાણે લગ્ન કરી શકે તેમ ન હોઇ નાસી જવાથી બદનામી થવાની શક્યતા હોઇ બંનેએ એક અત્યંત ખોફનાક તરકટ રચ્યું હતું અને કોઈ NGOમાં કામ કરતા અનિલ ગાગલ એ બે થી ત્રણ વખત ખાનગી ગાડી ભાડે કરી વ્યક્તિની લાશ મળે અથવા અજ્ઞાત અને નિરાધાર વ્યક્તિ મળી જાય તો તેની હત્યા કરી તેની લાશ ને સળગાવી પોતે એટલે કે આ પ્રેમી યુગલે આત્મહત્યા કરી છે તેવું પ્રતિપાદિત કરીને નાસી જવાની યોજના બનાવી હતી

ત્યારે રતે પ્રમાણે આરોપી અનિલ ગાગલ એ ભુજ માંથી એક નિરાધાર અજાણ્યા વૃદ્ધનું અપહરણ કરી તેની ખારી ગામ નજીક હત્યા કરી બાદમાં બને એ અજાણ્યા વ્યક્તિની લાશને સળગાવી આ પ્રેમી યુગલ નાસી ગયું હતું કચ્છ જિલ્લામાં અગાઉ બનેલી આવી જ એક ઘટનાની યાદ અપાવતી આ ઘટનામાં આ પ્રેમી યુગલ થોડા સમય સુધી દ્વારકા તાલુકામાં રહ્યા બાદ આખરે પાપનો ઘડો ભરાયો હતો અને આ પ્રકરણ ઉજાગર થયું હતું અને એક રહસ્યથી ભરપૂર આ ઘટનામાં આગ્રહ ધારણા પ્રમાણે વળાંક આવ્યો છે અને પ્રેમમાં અંધ આ પ્રેમી યુગલ દ્વારા કોઈ નિર્દોષ અને બે ગુનાહ વ્યક્તિની હત્યા કરીને તેનો કારણ વગર જીવ લઈ લેવાયાનું સામે આવ્યું છે જોકે આ પ્રકરણમાં તપાસ દરમિયાન હજુ પણ આ ક્રિમિનલ માઈન્ડેડ પ્રેમી યુગલના વધુ કેટલાક કારનામા ઉજાગર થવાની શક્યતા જોવાય છે. નોંધનીય છે કે છ થી સાત વર્ષ અગાઉ કચ્છમાં આવી જ એક ઘટના બહાર આવી હતી જેમાં પણ પ્રેમી યુગલ કોઈ નિર્દોષની હત્યા કરી ફરાર થઈ ગયું હતું પરંતુ આખરે પાપનો ઘડો ભરાતા એ ઘટનાનો પણ ભાંડા ફોડ થયો હતો. આ સાથે સમગ્ર પ્રકરણની વિગત Dysp દ્વારા આપવામાં આવી હતી.

આ ચકચારી કિસ્સામાં જે વૃદ્ધ ભરતભાઈ પ્રતાપસિંઘ ગાંધી ભાટિયાની હત્યા થઈ તેમની ઓળખ મેળવવા સ્કેચ બનાવવા સહિતની પોલીસે તપાસ આદરી હતી અને તેના ભાઈ રહે ગણેશ નગર વડાએ તે સ્કેચને ઓળખી બતાવ્યો હતો. આ જેની હત્યા થઈ તે મૂળ માનકુવાનો હોવાનું અને છેલ્લા ઘણા સમયથી ભૂજના અલગ અલગ વિસ્તારમાં  ભરતભાઈ પ્રતાપસિંઘ ગાંધી ભાટિયા એકલો જીવન જીવતો હોવાનું સામે આવ્યું હતું. આ વૃદ્ધ મંગલમ હોટલ પાસે ચા ની રેકડી પણ અમુક સમય ચલાવી હતી તેવું પણ જાણવા મળી રહ્યું છે. ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.