- જિલ્લા વન વિભાગ અને નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશન દ્વારા માળાનું વિતરણ કરાયું
- લુણાવાડા ખાતે 4000 જેટલા ચકલીના માળાનુ કરાયું વિતરણ
- છેલ્લા 6 વર્ષથી ચકલીના માળાનું કરાઈ છે વિતર
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મહીસાગર નેચર અને એડવેન્ચર ફાઉન્ડેશન અને મહીસાગર વન વિભાગ દ્વારા જીલ્લા માં 4000 માળાનું તથા કુંડા નું વિતરણ કરાયું
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મહિસાગર જિલ્લા વન વિભાગ અને નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશન દ્વારા માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશન ખાતે નગરજનોને ચકલીના માળાનો વિતરણ DCF મહીસાગર દ્વારા કરવામાં આવ્યું હતું. દિનપ્રતિદિન ચકલીઓની સંખ્યા ઘટી રહી છે, ત્યારે પ્રકૃતિ પ્રેમી યુવાનો ચકલી બચાવવા સેવા કાર્યમાં જોડાય તે હેતુથી માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ (વર્લ્ડ સ્પેરો ડે) તરિકે મનાવવામાં આવે છે. ઇકોસિસ્ટમમાં જૈવવિવિધતા અને વનસ્પતિ વૃદ્ધિ માટે ચકલીઓ મહત્વપૂર્ણ છે. તેઓ બીજ ખાય છે અને ઉત્સર્જન કરે છે, જે છોડના બીજ ફેલાવવામાં અને વનસ્પતિને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. શહેરીકરણ અને કૃષિ પદ્ધતિઓમાં ફેરફારને કારણે ચકલીઓની વસ્તી ઘટી રહી છે. માટે ચકલીઓની વસ્તીને સંતુલિત રાખવા તથા દરેક માનવને ચકલીઓનું મહત્વ સમજાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.
ઘર ચકલી ડોમેસ્ટિક કેટેગરીમાં આવતું એક પક્ષી છે ચકલી યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે આ ઉપરાંત જગતભરમાં જ્યાં જ્યાં – માણસ ગયો ત્યાં આ પક્ષીઓ એનું અનુકરણ કર્યું અને અમેરિકાના મોટાભાગના સ્થાનો આફ્રિકાના કેટલાક સ્થાનો ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાના ધર બનાવી રહેવાનું ચાલુ કર્યું શહેરી વિસ્તારોમાં ચકલીઓની છ પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે. આમાંથી ખાવુ સ્પેરો ને ગુજરાતમાં ‘ચકલી’ અને હિન્દીમાં ‘ગોરીયા’ કહેવામાં આવે છે.
ગુજરાત રાજ્યભરમાં પક્ષીઓને બચાવવા ઘણી જહેમત ચાલે છે છેલ્લા 10 વર્ષમાં લોકોમાં જાગૃતિ આવી છે પરિણામે ઘરમાં માળા-કુંડા જોવા મળે છે દરેક પક્ષીઓના બચાવવા સાધનો બનાવ્યા છે. ઘર -ઘરમાં ઇન્ટિરિયર ડેકોરેશિઓનનો પણ જમાનો છે. આ સ્થિતિ વચ્ચે“ ચકલીઓમાં માળા-કુંડામાં પણ – મોર્ડનાઈજઝેશન આવી ગયું છે.
આર્ટિફિશિયલ ચકલીના માળા એટલે ચકલી ઘર દ્વારા પર્યાવરણ જાગૃતિ કામ પણ હાથમાં લેવામાં આવ્યું છે.
મહીસાગર નેચર અને એડવેન્ચર ફાઉન્ડેશન અને મહીસાગર વન વિભાગ દ્વાર ૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી છેલ્લા ૬ વર્ષ થી ચકલીમાળા અને પક્ષીઓ માટે પાણીના કુંડાના વિતરણ દ્વારા કરવામાં આવે છે આ વર્ષે પણ મહીસાગર નેચર અને એડવેન્ચર ફાઉન્ડેશન અને આ મહીસાગર વન વિભાગ દ્વાર ૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી મહીસાગર જિલ્લામાં ૪૦૦૦ ચકલીના માળા વિતરણ કરીને ઉજવણી કરવામાં આવી.
સંતરામપુર સ્થીત ફોરેસ્ટ ખાતાની કચેરી ખાતે ચકલી નાં માળા ને પાણી નાં કુંડા નું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
અહેવાલ : અમીન કોઠારી