• ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાંજરાપોળ ખાતે વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાને ફૂલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
  • કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામકંડોરણા ખાતે વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરીWhatsApp Image 2024 07 29 at 10.40.00 AM 1

જામકંડોરણા ન્યુઝ: જામકંડોરણા કન્યા વિદ્યાલય ખાતે સ્વર્ગસ્ત વિઠ્ઠલ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા તેમના પિતાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. તેમજ કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા ગૌવંશ પાંજરાપોળ  ખાતે ગૌ માતાને ખોળ ખવડાવી ગૌશાળામાં 100 થી વધુ વૃક્ષો વાવી વૃક્ષારોપણ કર્યું હતું. તેમજ દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પ તેમજ સર્વ રોગ નિદાન કેમ્પને ખુલ્લો મૂકી વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ રક્તદાન કરવા માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી. લોકો રક્તદાન કરી વિઠ્ઠલ રાદડિયા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા હતા. તેમજ વિવિધ જગ્યાએ મહારક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરી લોકો અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.

પ્રવિણ દોંગા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.