- રાજકોટમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં આયોજકો ફરાર
- આયોજકો અચાનક ગૂમ થઈ જતા મચી ગઈ દોડધામ
- 28 જેટલી જાન રાત્રે સમૂહ લગ્ન સ્થળ પર પહોંચી હતી
- રાત્રે જાન આવી ત્યાં સુધી સ્થળ પર જ હતા આયોજકો
- સવારથી આયોજકો ગાયબ થઈ હતા મચ્યો હોબાળો
- વર અને કન્યા પક્ષના પરિવારે મચાવ્યો ભારે હોબાળો
- ભારે હંગામા બાદ સ્થળ પર પોલીસ બોલાવવામાં આવી
- આયોજકોના મોબાઈલ ફોન સતત આવી રહ્યા છે બંધ
- આયોજકો ફરાર થઈ જતા ભાવૂક દ્રશ્યો સર્જાયા
- આયોજકો ફરાર થતા દીકરીની માતાની આંખો ભીંજાઈ ગઈ
- ફરાર આયોજકો પર બેફામ હૈયાવરાળ ઠાલવી રહ્યા છે લોકો
- રેલનગરમાં મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે બની વિચિત્ર ઘટના
- ઋષિવંશી સમાજ આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં જોવા જેવી થઈ
- વર કન્યાના સપના થયા ચકનાચૂર
- ડાયરાનું આયોજન પણ કરાયું હતું કેન્સલ
- સમૂહલગ્નમાં આયોજકો થયા ફરાર 28 વરઘોડિયા રજડ્યા
- 28 જાન પાછી વળી
- ૪ થી ૬ વાગ્યા દરમ્યાન પહોંચવા લાગી હતી જાન
- વરઘોળીયા રજડ્યા
- પરિવાર જનો : અમને અમારા પૈસા પાછા આપી દ્યો !!!
- પરિવાર જનો : હવે આ લગ્નની જવાબદારી કોણ લેશે???
- 28 લગ્ન અટકી પડ્યા,ભારે હોબાળો
રાજકોટમાં એક અજુગતો બનાવ સામે આવ્યો છે. રેલનગરમાં મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે ઋષિવંશી સમાજ આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં જોવા જેવી થઈ હતી.મળતી માહિતી અનુસાર ૪ થી ૬ વાગ્યા દરમ્યાન જાન પહોંચવા લાગી હતી લોકો પણ આવવા લાગ્યા પણ આયોજકો ફરાર થઇ ગયા હતા.લોકો આયોજકોને શોધવા નીકળ્યા હતા.આટલું જબ્બર આયોજન કરી પૈસા લઇ આયોજકો રફુચક્કર થઈ જતા વરઘોડિયા અને પરિવારજનો રજળી પડ્યા છે.
Rajkot: રાજકોટમાં આયોજીત એત સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં ભારે હોબાળો મચ્યો છે. નવી જિંદગીની શરુઆત કરે તે પહેલા જ વર-વધુના સપના ચકનાચૂર થઈ ગયા છે.
રાજકોટ: રાજકોટમાં ઋષિવંશી સમાજ સેવા સંઘે દ્વારા સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આજે સવારે 28 જોડા પરિવાર સાથે પહોંચતા જ ચોંકી ઉઠ્યા હતા. કેમ કે, ત્યાં કોઈ આયોજકો કે લગ્નના ફેરા માટે બ્રાહ્મણ હતા જ નહીં. હોબાળો થતાં જાણવા મળ્યું કે આયોજકો જ ફરાર થઈ ગયા છે.
રસપ્રદ વાત એ છે કે, આ પ્રસંગે મહેમાન તરીકે શહેરના મેયરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓ પણ પ્રભુતાના પગલા માંડવા જઈ રહેલા નવયુગલને આશિર્વાદ આપવા પહોંચ્યા હતા, પરંતુ જાનૈયાઓએ મેયરનો જ ઘેરાવ કર્યો હતો. જે બાદ મેયરને પણ સમગ્ર ઘટના અંગે જાણ થઈ હતી.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાજકોટના માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે ઋષિવંશી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 28 નવ દંપત્તિ લગ્નના તાંતણે બંધાવાના હતા. જોકે જ્યારે લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ત્યા કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી. કન્યા પક્ષ અને વરપક્ષ બન્ને પાસેથી 15-15 હજાર રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એન.વી ઈવેન્ટ ગ્રુપના નામથી રસીદ આપવામાં આવી હતી. ડિસેમ્બર-2024માં સમૂહ લગ્ન માટેનું બુકિંગ કરવામાં આવ્યું હતું. હવે રુપિયા લઈને આયોજકો ફરાર થઈ ગયા છે. તેમણે ફોન પણ સ્વીસ ઓફ કરી દીધો છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ શરુ કરી છે. ઋષિવંશી ગ્રુપના નામે આયોજન કરનાર આયોજકો ફરાર થઈ ગયા છે. આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા છે. સવારે 4થી 6ના ગાળામાં 28 જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી છે.
આયોજકો ફરાર થતા વરરાજા વહુ અને જનેયા રજડી પડ્યા છે. લગ્નના વીડિયોગ્રાફીનો ઓર્ડર પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે. એબીપી અસ્મિતા પર વીડિયોગ્રાફી કરનાર સુરેશભાઈએ દાવો કર્યો કે, રૂદ્રાક્ષ વીડિયોનો ઓર્ડર ગઈકાલે જ આયોજકોએ રદ્દ કરી દીધો હતો. ગઈકાલે ભજનનો કાર્યક્રમ પણ રદ્દ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્થળ પર કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાનો આરોપ લગાવવાાં આવ્યો છે.
સમગ્ર ઘટનાને લઇ સ્થળે પોલીસ પહોચી.
તો બીજી તરફ આયોજકોએ લગ્નોત્સવની કંકોત્રીમાં દુનિયાભરનો દેખાડો કર્યો હતો. હર્ષા બારોટ અને રાહુલ બારોટ હાજર રહેવાનો દાવો કરવામાં આવ્યો હતો.લગ્ન ગીતોના સુરો રેલાવતા રેલાવતા લગ્ન કરાવી દેવાનો દાવો કરવામાં આવ્યો હતો. ભજન અને સંતવાણીનું પણ આયોજનનો દાવો કરાયો હતો. ખાલી મોટા મંડપ બાંધ્યા અને આયોજકો ફરાર થઈ ગયા.
જો સમગ્ર ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો રેલનગરમાં મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે ઋષિવંશી સમાજ આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં એક વિચિત્ર બનાવ બન્યો છે. કે જ્યાં આયોજકો દ્વારા ગઈ કાલે એટલે કે લગ્નના આગલી રાત્રે ડાયરાનું પણ આયોજન હતું જે પણ કેન્સલ કરવામાં આવ્યું હતું. કરિયાવરનું પણ કઈ આયોજન નહોતું કરાયું.
આજની જો વાત કરવામાં આવે તો ઋષિવંશી સમાજ આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં આવેલી 28 જાન કે જે પાછી વળી હતી. nv ગ્રુપ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં કાઈ પણ જાતનું આયોજન કરવામાં નહોતું આવ્યું. ડીસેમ્બરમાં 2024 સમૂહ લગ્ન માટે નોંધણી કરાઈ હતી.