ગુજરાતમાં મોગલ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં છે. આ સાથે જ  ગુજરાતમાં મોગલ માતાજીના ઘણા મંદિરો પણ આવેલા છે. જેમાંથી કચ્છના કબરાઉ, પછી ભગુડા મોગલ ધામ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામમાં આવેલું મોગલ ધામ. તેમજ દ્વારકા જિલ્લાનું ભીમરાણા ગામ મોગલ માતાજીનું જન્મસ્થાન માનવામાં આવે છે. આ મંદિરે પણ બહોળી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા જાય છે.

મોગલ માતાજીનું જન્મસ્થાન

mogal maa

મોગલ માના પિતા એટલે ‘દેવસુર ધાંધણીયા’ અને માતા એટલે ‘રાણબાઈ મા’. કહેવામાં આવે છે. તેમજ માતાજીનો જન્મ થયો ત્યારે તેઓ બોલતા નહોતા. એ સમયે બધા કહી રહ્યાં હતા કે મોગલ મુંગા છે. ત્યારે મોગલ માતા પોતાના ગામ ભીમરાણામાં મોટા થવા લાગ્યા હતા. જ્યારે તેઓ 40 વર્ષના હતા ત્યારે તેમના લગ્ન થયા અને મોગલ માતાજીની જાન જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગોરડિયા ગામેથી આવી હતી. તેમાં ધામધૂમથી તેમના લગ્ન થયા હતા.આ દરમિયાન  કહેવાય છે કે તે સમયે રિવાજ હતો કે દીકરીની સાથે કામ કરવા અન્ય કોઈ છોકરીને મોકલવામાં આવતી હતી. ત્યારે આઈ વાંજિને માં મોગલની સેવા કરવા માટે મોકલવામાં આવ્યા હતા. જાન જૂનાગઢ જવા માટે નીકળી ગઇ. ત્યારે  રસ્તામાં ચારણે માતાજીને ઘણા સવાલો પૂછ્યા પણ તે બોલ્યા નહિ પછી ચારણ અને આઈ વાંજિ એકબીજા સાથે વાતો કરવા લાગ્યા.જાન આવતા મોગલમાના સાસરિયામાં ચારણને થયું કે મેં વાંજિને સાબાશી નથી આપી માટે ચારણ વાંજિની બાજુમા ગયા અને તેમને કહ્યું કે વાહ વાંજિ તું તો કામની બાઈ લાગે છે. એમ કહીને તેની સાથે તાળી લીધી. ચારણ સમાજમાં રિવાજ છે કે કોઈ પર સ્ત્રીને અડાય નહિ.

આ જોતા જ મોગલ આઈ કે જેઓ 40 વર્ષથી બોલતા ન હતા એ બોલી ઉઠ્યા એ ચારણ આ તો આપણી બેન દીકરી કહેવાય એની તાળી ન લેવા. આટલું કહેતા મોગલનું આ મહાકાળીરૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો. માને પગે લાગવા માંડયા પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી. ત્યારે આ સમયે માં મોગલે ધરતીને અરજ કરી મને તારામાં સંભાળી દે અને ધરતી ફાટવા માંડી પરણેતરના કપડા પહેરેલા અને મોગલ ધીમે-ધીમે ધરતીમાં સમાવવા લાગ્યા. આ સાથે વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીનાં કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. તેમજ લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે.

વાંજી દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા કે ‘તાર તોય મારી તું ને માર તોય મારી તું’ એટલે માંએ દયા દેખાડી વાંજીને ખોળામાં લીઘી હતી. ત્યારે આ કારણે વાંજિ આજે પણ ભીમરાણા મોગલ માં સાથે સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણાના મંદિરના પટાંગણમાં મેલડી માં, સિકોતેર માં, આઈ વાંજી, વચ્છરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે.

મોગલ માં ગોરવીયાળીની ધરતમા સમાય ગયા અને હાલ મોગલ પણ “ગોરવી મોગલ” તરીકે ઓળખાય છે. માં મોગલ ધરતીમાં સમાયા ત્યારે માના શબ્દો હતા કે ચારણો માટે હંમેશા આશીર્વાદ રહેવાના અને 9 લાખ લોબળીયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ. અન્ય કુળમાં આઈ ન અવતરે. 9 લાખ લોબળીયાળીમાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે. તેમજ ચારણો વિશેષ માં મોગલને માને છે.

આ ઉપરાંત આઈએ જણાવ્યું હતું કે, ધરતીમાં સમાતા સમયે જે પરણેતરનો પોષાક પહેર્યો હતો. ત્યારે  આઈ બોલ્યા કે આ પોષાક પહેર્યો છે તેના કારણે એમનો જે પરીવાર છે તે દર 3 વર્ષે માંને આ પોષાક પહેરાવે એટલા માટે મોગલ માંનો તરવાળો રાતના 12 વાગ્યે પહેરાય છે અને એ વખતે માંનો ભુવો હોય તે છાબને અડી અને ધાબળી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય તેના પર પડે અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોગલ માંના આશીર્વાદ છે. આમ છાબને અડવા માં મોગલ આવે અને 3 વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે તેનું નામ તરવાળો. તેમજ તરવાળા માટે એક ચારણી ચરજ છે.

કેવી રીતે મોગલધામ ભીમરાણા પહોંચી શકાય

mandir

મોગલ ધામ ભીમરાણામાં મોગલ માંનું મોટું મંદિર આવેલું છે. આ સાથે અહીં અન્ય માતાજીના મંદિરો પણ આવેલા છે. તેમજ બહોળી સંખ્યામાં લોકો અહી દર્શન માટે આવે છે. મોગલધામ ભીમરાણા ગામમાં આવેલું છે. આ ભીમરાણા ગામ દ્વારકાથી મીઠાપુર જતા રસ્તામાં આવે છે. આ ઉપરાંત દ્વારકાથી મીઠાપુર જતાં સમયે દ્વારકાથી લગભગ 10-12 કિલોમીટર બાદ મુખ્ય રોડ પરથી ભીમરાણા ગામ જવાનો રસ્તો આવેલો છે. આ ભીમરાણા ગામમાં મોગલ માં સાક્ષાત દર્શન આપવા બેઠા છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.