- દાહોદ જિલ્લામાં 2 લાખ 60 હજાર 800 જેટલા લાભાર્થીઓને સહાય પેટે સહાય અંદાજીત રુ. 52.16 કરોડની સહાય
- વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિ યોજનાની 19મા હપ્તાની રકમ જમા થઇ
- દેશને આર્થિક રીતે મજબૂત કરવા દેશના ખેડૂતોનું આર્થિક રીતે મજબૂત હોવું જરૂરી છે, જેના માટે આપણી સરકાર વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને સહાય કરી રહી છે.-સંસદ જશવંતસિંહ ભાભોર
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને કૃષિ વિભાગ, બિહાર સરકાર દ્વારા સંયુક્ત રીતે ભાગલપુર, બિહાર ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં PM કિસાન સમ્માન નિધિ’ યોજનાનો હવે 19મો હપ્તો રીલીઝ કરવા માટે “રાષ્ટ્રીય કક્ષાના કિસાન સન્માન સમારોહ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું જીવંત પ્રસારણ દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવ્યું હતું. જે નિમિતે દાહોદના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતા હેઠળ કિસાન સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ નિમિતે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા,સહિત જિલ્લા ખેતીવાડી અધિકારી દવે, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વિજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દરમ્યાન દાહોદ જિલ્લાના વિવિધ યોજનાઓનો લાભ મેળવનાર લાભાર્થીઓ અને પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. જેમાં રાજય કક્ષાએથી મુખ્યમંત્રીના વરદ હસ્તે કૃષિ ભવન, ગાંધીનગર કચેરી ખાતેથી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ ‘કૃષિ પ્રગતિ-Command and Control Centre નું ઇ- લોકાર્પણ તથા ટેકાના ભાવે તુવેર ખરીદી માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ દરમ્યાન ડોક્યુમેન્ટરી દ્વારા કૃષિને લગતી યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે ખેડૂતોના ખાતામાં સીધા સહાય જમા કરવામાં આવ્યા હતા. અન્નદાતાને એનો ઉચિત ભાવ આપવા માટે સરકાર ખેડૂત પાસેથી સીધી ખરીદી કરે છે, ખેડૂતોના આર્થિક વિકાસ હેતુ સરકાર નિરંતર પ્રયાસરત છે.
સંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, દેશને આર્થિક રીતે મજબૂત કરવા દેશના ખેડૂતોનું આર્થિક રીતે મજબૂત હોવું જરૂરી છે, જેના માટે આપણી સરકાર વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને સહાય કરી રહી છે. એ સાથે પશુ રોગોની અટકાવવા માટે, ગુણવતાયુક્ત બીજ તેમજ અન્ય કૃષિ સહાય થકી ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. આર્થિક હોય કે સાધનિક સરકાર ખેડૂતની પડખે છે. જેથી કરીને દેશને સમૃદ્ધ કરવા માટે સમૃદ્વ કિસાનનો સંકલ્પ સફળ થશે.
વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના ભાગલપુરથી જીવંત પ્રસારણ થકી ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદ્દબોધન આપતાં કહ્યું હતું કે, ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને તેમજ તેઓની આત્મ નિર્ભરતા માટે મિશન મોડ પર કામ કરવામાં આવશે. દાહોદ જિલ્લામાં 2 લાખ 60 હજાર 800 જેટલા લાભાર્થીઓને સહાય પેટે સહાય અંદાજીત રુ. ૫૨. 16 કરોડની સહાય આપવામાં આવશે. કાર્યક્રમના અંતે પ્રગતિશીલ ખેડૂતોનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લાભ વિતરણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
અહેવાલ: અભેસિંહ રાવલ