તાજેતરમાં સુરતની આગ લાગવાની ઘટનામાં બાવીસ બાળકો પોતાના પ્રાણ ગુમાવ્યા હતા અને ઘટના બાદ સરકારી તંત્ર દોડતું થયું છે અને મહાનગરપાલીકા અને નગરપાલીકા વિસ્તારમાં તાત્કાલીક અસુરક્ષીત બિલ્ડીંગમાં ફાયર સુવિધા ઉભી કરવા માટે તંત્રએ નોટીસો જારી કરી હતી. ત્યારે આ ઘટના બાદ રિયાલીટી ચેક કરવા માટે અમારા રિપોર્ટર પ્રકાશ દવેએ સૌ પ્રથમ આવી નોટીસ આપનારા તંત્ર પાસે આ સુવિધા છે કે નહી તે વિષે પાલીકાના બાંધકામના એન્જીનીયર વિપુલભાઈ ચૌહાણની મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતુ કે હાલમાં આ સુવિધા ઉપલબ્ધ નથી પરંતુ અન્ય લોકોની સાથે નગરપાલીકા પણ આ સુવિધા ઉપલબ્ધ કરી લેશે તેવું જણાવ્યું હતુ ત્યારે અખબારના અહેવાલ બાદ નગરપાલીકાએ વીસ જેટલાના બાટલા પાલીકાની અલગ અલગ શાખામાં લગાવી દીધા છે. તેની પણ અમો જાણકારી આપી રહ્યા છીએ પરંતુ હજુ પણ સરકારી કચેરીઓમાં મામલતદાર કચેરી કે પોલીસ સ્ટેશનમાં આવી સુવિધાઓ નથી ત્યારે તમામ કચેરીઓમાં પણ આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને જે જગ્યાએ નોટીસ ફટકારી છે તેવી જગ્યાએ વહેલાસર ફાયર સેફટીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પાલીકા આગળ આવે તેવી શહેરીજનોની માંગણી કરી છે.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મિત્રો સાથે બગડેલા સંબંધો સુધરે, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, કાર્યમાં સફળતા મળે.
- સુરતમાં માધવપુરના મેળાની સાંસ્કૃતિક કૃતિઓ કરાશે રજૂ!!!
- સુરતના ઉતરાણ વિસ્તારમાં હિટ એન્ડ રન!!!
- સુત્રાપાડા: ક્ષય ચકાસણી માટેના ટૂનાટ મશીનનું લોકાર્પણ…
- આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા મેળાનું સમાપન
- પ્રાચી તીર્થ ખાતે રિવર લાઇનિંગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું
- ન્યુટેલા લવર્સ માટે ખાસ રેસીપી!!!