Abtak Media Google News
  • ગત રાત્રે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયાં બાદ માલવિયાનગર પોલીસે કબ્જો મેળવ્યો

રાજકોટ શહેરના ગોંડલ રોડ પરના આંબેડકરનગરના યુવકને ઢોર માર મારી હત્યા કર્યા બાદ ભાગી છૂટેલો એએસઆઈ અંતે પકડાયો છે જો કે, તે સામેથી રજૂ થયાની ચર્ચા છે. આંબેડકરનગરમાં રહેતા હમીરભાઇ ઉર્ફે ગોપાલભાઇ દેવજીભાઇ રાઠોડ પાડોશીના ઝઘડામાં વચ્ચે પડતાં માલવિયાનગર પોલીસ ગત તા.14ના તેમને પોલીસ મથકે ઉઠાવી ગઇ હતી. પોલીસ સ્ટેશનમાં એએસઆઇ અશ્વિન કાનગડે હમીરભાઇને ઢોરમાર મારતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી અને બેભાન થઈ જતાં પોલીસે તેમને હોસ્પિટલે ખસેડ્યા હતા જોકે ટૂંકી સારવાર દરમિયાન હમીરભાઇનું મૃત્યુ થયું હતું. પોલીસ સ્ટેશનમાં આચરવામાં આવેલી ક્રૂરતાથી હમીરભાઇનું મૃત્યુ થયું હોય મૃતકના પરિવારજનો તેમજ દલિત સમાજે જવાબદાર પોલીસમેન સામે હત્યાનો ગુનો નોંધી તેની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે તત્કાલીન સમયે મૃતદેહ સંભાળવાનો ઇનકાર કરી દીધો હતો.

ઘટના બાદ જમાદાર અશ્વિન નાસી ગયો હતો, પોલીસે મૃતકના પરિવારજનોને ખાતરી આપતાં રાઠોડ પરિવારે મૃતદેહ સંભાળી લીધો હતો. જોકે બાદમાં છ દિવસ વીતી જવા છતાં ફરાર એએસઆઇ કાનગડ પોલીસને હાથ આવ્યો નહોતો, અંતે શુક્રવારે સાંજે અશ્વિન કાનગડની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય બાબત છે કે, આંબેડકરનગરમાં ગત 14 તારીખે રાત્રે પિતા- પૂત્રના ઝઘડામાં આવેલ પોલીસ પાસે સમાધાન કરવા ગયેલ યુવકને પોલીસે ઢોર માર મારતા હત્યાની કોશિષનો ગુનો નોંધાયા બાદ સારવારમાં યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો માલવિયાનગર પોલીસે એટ્રોસિટી, હત્યાની કલમનો ઉમેરો કરી શોધખોળ શરૂ કરી હતી દરમિયાન આજે એએસઆઈ ડીસીબી સમક્ષ હાજર થતા અટકાયત કરી માલવિયાનગર પોલીસને કબજો સોપતા પોલીસે આજે કોર્ટમાં રજુ કરશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.