- રાજકોટ : સીટી બસે સર્જેલ અકસ્માતમાં મૃત્યુઆંક ચારને આંબ્યો
- મનપાના ઓડિટ વિભાગના ક્લાર્ક રાજુભાઈ ગીડા (ઉ.વ.35), સંગીતાબેન ચૌધરી (ઉ.વ.40), કિરણબેન કક્ક્ડ (ઉ.વ.47) અને ચિન્મય ભટ્ટ (ઉ.વ.25)નું મોત
- પાંચ વર્ષીય બાળકી સહીત ત્રણ હોસ્પિટલમાં સારવાર હેઠળ
- અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ ફાટી નિકળ્યો: બસ પર પથ્થરમારો, ચક્કાજામ
- બે લોકો ઈજાગ્રસ્ત: 150 ફૂટ રીંગ રોડ એમ્બ્યુલન્સના સાયરનથી દ્રવી ઉઠ્યો: ચાલક ચિક્કાર નશામાં હોવાનો આક્ષેપ
- સીપી, એડિશનલ સિપી, ડીસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા: રોષે ભરાયેલ ટોળાને વિખેરવા લાઠીચાર્જ
રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક ભયાનક અકસ્માત સર્જાયો છે. બેફામ દોડતી સીટી બસે રોડ ક્રોસ કરતા પાંચ લોકોને અડફેટે લેતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જયારે બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે 150 ફૂટ રીંગ રોડ શાયરનના અવાજથી દ્રવી ઉઠ્યો હતો જયારે બીજી બાજુ સ્થાનિકોમાં આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલ ટોળાંએ બસ પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં એકત્રિત થઇ જતાં ચક્કાજામ સર્જાયો હતો. બીજી બાજુ આક્રોષિત ટોળાંને વિખેરવા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. બીજી બાજુ પોલીસ કમિશ્નર, એડિશનલ પોલીસ કમિશ્નર, ડીસીપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા.
રાજકોટ શહેરમાં એક ભયાવાહ અકસ્માત સર્જાતા અરેરાટી સાથે રોષ વ્યાપ્યો છે. આજે સવારે અંદાજિત દસ વાગ્યાં આસપાસ ઇન્દિરા સર્કલ નજીક સીટી બસે અકસ્માત સર્જયો હતો. પ્રદ્યુમનપાર્કથી લાઈટ હાઉસના રૂટ પર દોડતી આર-ટુ નંબરની સીટી બસ ઇન્દિરા સર્કલથી પંચાયતનગર તરફ જઈ રહી હતી. ત્યારે ઇન્દિરા સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં પણ પૂરપાટ ઝડપે ધસી આવેલી સીટી બસના ચાલકે અકસ્માત સર્જયો હતો. ટ્રાફિક સિગ્નલ બંધ હોય રાહદારીઓ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા પણ બેફામ બનેલી સીટી બસે કુલ પાંચ લોકોને અડફેટે લઇ લીધા હતા. જે પૈકી ત્રણ લોકો પર બસના ટાયર ફરી વળતા તેમના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જયારે બે લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સીટી બસના ચાલકે અકસ્માત સર્જી ત્રણ લોકોને જીવતા કચડી નાખતા સ્થાનિકોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો અને લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ટોળાંએ આક્રોશમાં આવી બસ પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. ઉપરાંત ટોળાંને કારણે ચક્કાજામ જેવી પરિસ્થિતિ ઉદભવતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બયુલન્સ દોડતી થઇ હતી અને થોડી વાર સુધી ઇન્દિરા સર્કલ સહિતનો 150 ફૂટ રીંગ રોડ વિસ્તાર એમ્બયુ લન્સના શાયરનથી દ્રવી ઉઠ્યો હતો. એમ્બયુલન્સ મારફત ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જયારે મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શિશુપાલસિંહ ઝાલા નામનો ડ્રાયવર વાહન ચલાવતો હતો અને અકસ્માતમાં તેણે પણ ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઉપરાંત સ્થાનિકોનો આક્ષેપ છે કે, ચાલક ચિક્કાર નશામાં હતો જેના લીધે તેણે અકસ્માત સર્જયો હતો. જયારે બીજી બાજુ ડ્રાયવરે ઈજાગ્રસ્ત હાલતમાં જણાવ્યું હતું કે, પોતે કોઈ નશામાં હતો નહિ પણ બ્રેક નહિ લગતા અકસ્માત સર્જાયો હતો.
ઘટનાને પગલે આક્રોશમાં રહેલા ટોળાંએ વધુ બસોમાં તોડફોડ શરૂ કરતા પોલીસ દ્વારા ટોળાંને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો. બીજી બાજુ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બંગરવા, એસીપી બી જે ચૌધરી સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઉપરાંત ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ પણ ઇન્દિરા સર્કલ ખાતે દોડી ગયા હતા.
ટોળાંએ અકસ્માત સર્જનાર સહીત અનેક બસમાં તોડફોડ કરી : પોલીસનો વળતો લાઠીચાર્જ
શહેરના ઇન્દિરા સર્કલ પાસે આજે સવારે સીટી બસે. વાહન ચાલકોને હટફેટે લેતા ત્રણ લોકોના મોત નીપજિયા હતા. જેમાં બે થી વધુ લોકો ધવાયા ની ઘટના પ્રકાશમાં આવતા રાહદારી અને વાહનચાલકોએ ચક્કાજામ કર્યા હતા. જેને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને અકસ્માતને પગલે લોકોનો આક્રોશ ચરમશીમાએ પહોંચતા ટોળા દ્વારા સાત થી આઠ સીટી બસમાં પથ્થરમારો કરી તોડફોડની ઘટના બનતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્તમાં રહેલી પોલીસે સમય સૂચકતા વાપરી લાઠીચાર્જ કરી ટોળાને વિખરીઓ હતો અને પોલીસે કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
અકસ્માતના સીસીટીવી વાયરલ: અનેક ટુ વ્હીલર પર પૈડા ફરી વળ્યાંના દ્રશ્યોથી હૃદય કંપી ઉઠ્યાં
સમગ્ર ભયાનક અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયાં હતા. જે સીસીટીવી વાયરલ પણ થયાં છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બેફામ બનેલી બસએ અનેક ટુ વ્હીલર ચાલકો અને ફોર વ્હીલને ટક્કર મારતા આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત થયાં હતા અને ત્રણથી વધુ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે.
આર-2 રૂટની બસે અકસ્માત સર્જયો: ચાલક શિશુપાલસિંહ પણ સારવાર હેઠળ
પ્રદ્યુમનપાર્કથી લાઈટ હાઉસના રૂટ પર દોડતી આર-ટુ નંબરની સીટી બસ ઇન્દિરા સર્કલથી પંચાયતનગર તરફ જઈ રહી હતી. ત્યારે ઇન્દિરા સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં પણ પૂરપાટ ઝડપે ધસી આવેલી સીટી બસના ચાલકે અકસ્માત સર્જયો હતો. ત્યારે લોકોએ ચાલક પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી બાજુ ચાલક શિશુપાલસિંહ ઝાલાને ઈજાગ્રસ્ત થતાં તેને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જયારે ચાલકે ઈજાગ્રસ્ત હાલતમાં જણાવ્યું હતું કે, તે કોઈ નશામાં ન હતો પણ બ્રેક નહિ લાગતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતો નિવારવા ટ્રાફિક અવરનેસ વધુ સંગીન બનાવવી આવશ્યક
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ. ખાતે સીટી બસ અકસ્માતમાં ત્રણના ભોગ લેવાની ઘટનાએ અકસ્માત ના કારણોની ચર્ચા જગાવી છે ત્યારે અકસ્માત માત્ર ચાલકની ગફલત પરજ બદનામીનું ઠીકરાં ફોડવાનો રિવાજ છે, ત્યારે અકસ્માત નિવારવા ટ્રાફિક અવરનેસ પણ જરૂરી છે રાજકોટ સહિત મોટા શહેરોમાં સિગ્નલ અને જાહેર રસ્તા પર વાહન ચાલકો દ્વારા આડેધડ ડ્રાઇવિંગ અને સિગ્નલ સ્ટોપ અને ટ્રાફિક ના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવાય છે અકસ્માતો નિવારવા વ્યવસ્થાની સાથે સાથે રસ્તા પર વાહન ચલાવતા તમામ લોકોએ ટ્રાફિકના નિયમો અંગે સજાગતા કેળવવી જોઈએ. અકસ્માતમાં કોઈ એકનો દોસ્ ન ગણી ટ્રાફિક નિયમો નો ભંગ કરી અવ્યવસ્થાસર્જનારા તમામ ક્યાંક ને ક્યાંક કસૂરવાર હોય, મોટા અકસ્માત થાય ત્યારે સ્મશાન વૈરાગ્ય ન જેમ વાતો થાય છે પણ ટ્રાફિક નિયમોની અમલવારી ભુલાઈ જાય છે
સાત વર્ષની બાળકી સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત: 150 ફૂટ રીંગ રોડ એમ્બયુલન્સના સાયરનથી દ્રવી ઉઠ્યો: ચાલક ચિક્કાર નશામાં હોવાનો આક્ષેપ
- સીપી, એડિશનલ સિપી, ડીસીપી સહિતના અધિકારીઓ દોડી ગયા
ટોળાંએ બસમાં તોડફોડ કરી: પોલીસનો વળતો લાઠીચાર્જ
શહેરના ઇન્દિરા સર્કલ પાસે આજે સવારે સીટી બસે વાહન ચાલકોને હટફેટે લેતા ચાર લોકોના મોત નીપજ્યા હતા. જેમાં ચાર લોકો ઘવાયાની ઘટના પ્રકાશમાં આવતા રાહદારી અને વાહનચાલકોએ ચક્કાજામ કર્યા હતા. જેને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને અકસ્માતને પગલે લોકોનો આક્રોશ ચરમશીમાએ પહોંચતા ટોળા દ્વારા બસમાં પથ્થરમારો કરી તોડફોડની ઘટના બનતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્તમાં રહેલી પોલીસે સમય સૂચકતા વાપરી લાઠીચાર્જ કરી ટોળાને વિખેરી નાખ્યો હતો અને પોલીસે કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
ચિન્મયના પિતાનું હૃદયરોગના હુમલાથી એક માસ પૂર્વે જ અવસાન થયું’તું : એકના એક ભાઈના અકાળ મોતથી બહેનનું હૈયાફાટ રુદન
સીટી બસે કચડી નાખી ચાર લોકોને મોતને ઘાટ ઉતારી દેતા ચાર પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે અકસ્માતમાં મોતને ભેંટનાર ચિન્મયભાઈ ઉર્ફે લાલો હર્ષદભાઈ ભટ્ટ(ઉ.વ.25)ના પિતા હર્ષદભાઈનું હજુ એક માસ પૂર્વે જ હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. ચિન્મય સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના બાંધકામ વિભાગમાં
કોન્ટ્રાકટ આધારિત ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. એકના એક ભાઈના અકાળ મૃત્યુથી સિવિલ હોસ્પિટલ ખાતે બહેનના હૈયાફાટ રુદનથી સૌના રુવાડા ઉભા થઇ ગયા હતા.
અકસ્માતનું કારણ જાણવા એફએસએલની મદદ લેવાઈ
એકતરફ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જયો હતો જયારે ચાલક શિશુપાલસિંહ ઝાલાએ રટણ કર્યું હતું કે, તે નશામાં ન હતો પણ એકાએક બ્રેક નહિ લાગતા આ દુર્ઘટના બની હતી. ત્યારે વાસ્તવિકતા જાણવા પોલીસે એફએસએલની મદદ લીધી હતી. એફએસએલની ટીમે ઘટનાસ્થળે જઈ તેમજ બસનો કબ્જો મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બીજી બાજુ પોલીસે વિડીયોગ્રાફી આધારિત પંચનામું કર્યું હતું.
ચાલક નશામાં હતો કે નહિ? બ્લડ રિપોર્ટ બાદ ભેદ ખુલશે
સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો ચાલક શિશુપાલ નશામાં હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. જે બાદ ટોળાંએ ચાલકને માર મારતા તેને પણ સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બીજી બાજુ પોતે નશામાં નહિ હોવાનું અને બ્રેક ફેઈલ થઇ જતાં અકસ્માત સર્જાયાનું ચાલકે રટણ કર્યું હતું. ત્યારે ખરેખર ચાલક નશામાં હતો કે કેમ? તે જાણવા ચાલકનો બ્લડ સેમ્પલ લેવામાં આવ્યો છે અને હવે બ્લડ રિપોર્ટ આવ્યા બાદ જ આ બાબત પરથી પડદો ઊંચકાશે.
ટ્રાફિક સિગ્નલ રેડ કે ગ્રીન?: ભારે અસમંજસ
ઘટનામાં એક વાત એવી મળી રહી છે કે, ટ્રાફિક સિગ્નલ બંધ હોય(રેડ લાઈટ) વાહન ચાલકો સિગ્નલ પર ઉભા હતા અને પૂરપાટ ધસી આવેલી બસએ વાહન ચાલકોને કચડી નાખ્યા હતા. બીજી બાજુ અકસ્માતના વાયરલ થયેલા સીસીટીવીમાં વાહનચાલકો પોતાના વાહન લઈને જઈને રહ્યા હતા અને પાછળથી બસના પૈડા ચાલકો પર ફરી વળ્યાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે હવે ટ્રાફિક સિગ્નલ ગ્રીન હતું કે રેડ તે અંગે ભારે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.
મૃતકો અને ઈજાગ્રસ્તોની ઓળખ
અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ઓડીટ શાખાના કર્મચારી રાજુભાઈ મનુભાઈ ગીડા (ઉં.વ.-35 રહે. સત્યમ પાર્ક), સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી (ઉં.વ.40 રહે. સ્વામિનારાયણ મંદિર નજીક, અક્ષર માર્ગ), સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના બાંધકામ વિભાગના ક્લાર્ક ચિન્મયભાઈ ઉર્ફે લાલો હર્ષદભાઈ ભટ્ટ, (ઉ.વ.25 રહે. હથિખાના શેરી નંબર-2) અને કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ (ઉ.વ. 56 રહે કોટેચા ચોક, કાલાવડ રોડ)નો સમાવેશ થાય છે. જયારે ચાર લોકોને ઈજા પહોંચી છે. જેમાં વિશાલ રાજેશભાઈ મકવાણા, ઉંમર વર્ષ-28,, સુરજ ધર્મેશ, ઉંમર વર્ષ-42,,સાનિયાબેન અજયભાઈ રાજભર, ઉંમર વર્ષ-17 અને, વિરાજબા મહાવીરસિંહ ખાચર, ઉંમર વર્ષ-07 નો સમાવેશ થાય છે.
મૃતકોને 15 લાખ અને ઇજાગ્રસ્તોને બે લાખની સહાય જાહેર કરતું કોર્પોરેશન
જીવલેણ અકસ્માત સર્જનાર સિટી બસના ડ્રાઇવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરાયો વિશ્ર્વમ એજન્સી સામે પણ આકરી કાર્યવાહી કરવાની કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓની ઘોષણા
આજે સવારે સિટી બસ દુર્ઘટનામાં મોતને ભેટેલા ચારેય મૃતકોના પરિવારજનોને 15 લાખની સહાય ચુકવવાની જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. અકસ્માતમાં ઘવાયેલા ચાર વ્યક્તિઓને બબ્બે લાખ ચુકવવામાં આવશે. જ્યારે સિટી બસનું સંચાલન કરતી વિશ્ર્વમ એજન્સી સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
આજે સવારે ઇન્દીરા સર્કલ પાસે, 150 ફૂટ રિંગ રોડ ખાતે સિટી બસ નંબર જીજે-03-બીઝેડ-0048 થી જે દુર્ઘટના બની છે. તેમાં ચાર લોકોના મૃત્યુ થયા છે. જેમાં મૃતકોમાં રાજકોટ મહાનગરપાલિકાના ઓડીટ શાખાના કર્મચારી રાજુભાઈ મનુભાઈ ગીડા (ઉ.વ.35), સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી, (ઉ.વ.40), બાલો ઉર્ફે ચિન્મયભાઈ હર્ષદભાઈ ભટ્ટ (ઉ.વ.25) અને કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ (ઉ.વ.56) નો સમાવેશ થાય છે. જ્યારે ચાર લોકોને ઈજા પહોંચી છે. જેમાં વિશાલ રાજેશભાઈ મકવાણા, સુરજ ધર્મેશ, સાનિયાબેન અજયભાઈ રાજબર અને વિરાજબા મહાવીરસિંહ ખાચરનો સમાવેશ થાય છે.
આ દુર્ઘટનાને અત્યંત આઘાતજનક ગણાવતા મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રાડિયાએ જણાવ્યું હતું કે, આ કરૂણ ઘટનામાં ઉદાહરણરૂપ કડક કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવ્યો છે તેમજ યોગ્ય તપાસ બાદ સિટી બસ ઓપરેશન સાથે સંકળાયેલ વિશ્ર્વમ એજન્સી સામે પણ આકરા પગલાં લેવામાં આવશે.
મૃતકોના પરિવારજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પંદર-પંદર લાખ રૂપિયાની સહાય તેમજ ઈજાગ્રસ્તોને બે-બે લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવેલ છે. સાથોસાથ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સની રકમ પણ મળવાપાત્ર થશે.
મુખ્ય એજન્સીનું પેમેન્ટ અટકાવાયું: પેટા એજન્સીનો સંચાલક ભાજપનો કાર્યકર હોવાની ચર્ચા
સિટી બસનું સંચાલન કોર્પોરેશનની રાજકોટ રાજપથ લીમીટેડ નામની એસપીવી દ્વારા કરવામાં આવી રહ્યું છે. સિટી બસનો કોન્ટ્રાક્ટ દિલ્હીની પીએમઆઇ એજન્સીને આપવામાં આવ્યો છે. આ એજન્સી દ્વારા પેટા કોન્ટ્રાક્ટ વિશ્ર્વમ એજન્સીને આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પેટા એજન્સીના સંચાલક ભાજપના કાર્યકર હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વિક્રમ ડાંગર નામનો વ્યક્તિ પાસે પેટા કોન્ટ્રાક્ટ છે. જે ભૂતકાળમાં ભાજપનો વોર્ડ મહામંત્રી રહી ચુક્યો છે. ઘટના બાદ તે ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા મુખ્ય એજન્સી પીએમઆઇનું 6 કરોડથી વધુનું પેમેન્ટ હાલ અટકાવી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
એજન્સી સામે આકરા પગલા લેવાની માત્ર વાત જ થશે કે કોઇ આકરી કાર્યવાહી કરાશે?
દર વખતે જ્યારે જીવલેણ દુર્ઘટનાઓ સર્જાય ત્યારે કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. તેવી ડંફાસો હાંકવામાં આવે છે. જો કે, ત્યારબાદ કોઇ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. એન્ટલાન્ટીસ એપાર્ટમેન્ટમાં આગની ઘટનાને એક મહિનો વિતી જવા છતાં હજુ સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. સિટી બસ દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા મૃતકોના પરિવારજનો અને ઇજાગ્રસ્તો માટે સહાય જાહેર કરી દેવામાં આવી છે. સાથોસાથ એવી પણ ડંફાસ મારવામાં આવી છે કે જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. હવે સમય જ બતાવશે કે તંત્ર દ્વારા કેવી આકરી કાર્યવાહી કરવામાં આવશે.
સાત વર્ષની બાળકી સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત: 150 ફૂટ રીંગ રોડ એમ્બયુલન્સના સાયરનથી દ્રવી ઉઠ્યો: ચાલક ચિક્કાર નશામાં હોવાનો આક્ષેપ
- સીપી, એડિશનલ સિપી, ડીસીપી સહિતના અધિકારીઓ દોડી ગયા
- ટોળાંએ બસમાં તોડફોડ કરી: પોલીસનો વળતો લાઠીચાર્જ
શહેરના ઇન્દિરા સર્કલ પાસે આજે સવારે સીટી બસે વાહન ચાલકોને હટફેટે લેતા ચાર લોકોના મોત નીપજ્યા હતા. જેમાં ચાર લોકો ઘવાયાની ઘટના પ્રકાશમાં આવતા રાહદારી અને વાહનચાલકોએ ચક્કાજામ કર્યા હતા. જેને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને અકસ્માતને પગલે લોકોનો આક્રોશ ચરમશીમાએ પહોંચતા ટોળા દ્વારા બસમાં પથ્થરમારો કરી તોડફોડની ઘટના બનતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્તમાં રહેલી પોલીસે સમય સૂચકતા વાપરી લાઠીચાર્જ કરી ટોળાને વિખેરી નાખ્યો હતો અને પોલીસે કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
ચિન્મયના પિતાનું હૃદયરોગના હુમલાથી એક માસ પૂર્વે જ અવસાન થયું’તું : એકના એક ભાઈના અકાળ મોતથી બહેનનું હૈયાફાટ રુદન
સીટી બસે કચડી નાખી ચાર લોકોને મોતને ઘાટ ઉતારી દેતા ચાર પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે અકસ્માતમાં મોતને ભેંટનાર ચિન્મયભાઈ ઉર્ફે લાલો હર્ષદભાઈ ભટ્ટ(ઉ.વ.25)ના પિતા હર્ષદભાઈનું હજુ એક માસ પૂર્વે જ હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. ચિન્મય સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના બાંધકામ વિભાગમાં
કોન્ટ્રાકટ આધારિત ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. એકના એક ભાઈના અકાળ મૃત્યુથી સિવિલ હોસ્પિટલ ખાતે બહેનના હૈયાફાટ રુદનથી સૌના રુવાડા ઉભા થઇ ગયા હતા.
અકસ્માતનું કારણ જાણવા એફએસએલની મદદ લેવાઈ
એકતરફ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જયો હતો જયારે ચાલક શિશુપાલસિંહ ઝાલાએ રટણ કર્યું હતું કે, તે નશામાં ન હતો પણ એકાએક બ્રેક નહિ લાગતા આ દુર્ઘટના બની હતી. ત્યારે વાસ્તવિકતા જાણવા પોલીસે એફએસએલની મદદ લીધી હતી. એફએસએલની ટીમે ઘટનાસ્થળે જઈ તેમજ બસનો કબ્જો મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બીજી બાજુ પોલીસે વિડીયોગ્રાફી આધારિત પંચનામું કર્યું હતું.
ચાલક નશામાં હતો કે નહિ? બ્લડ રિપોર્ટ બાદ ભેદ ખુલશે
સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો ચાલક શિશુપાલ નશામાં હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. જે બાદ ટોળાંએ ચાલકને માર મારતા તેને પણ સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બીજી બાજુ પોતે નશામાં નહિ હોવાનું અને બ્રેક ફેઈલ થઇ જતાં અકસ્માત સર્જાયાનું ચાલકે રટણ કર્યું હતું. ત્યારે ખરેખર ચાલક નશામાં હતો કે કેમ? તે જાણવા ચાલકનો બ્લડ સેમ્પલ લેવામાં આવ્યો છે અને હવે બ્લડ રિપોર્ટ આવ્યા બાદ જ આ બાબત પરથી પડદો ઊંચકાશે.
ટ્રાફિક સિગ્નલ રેડ કે ગ્રીન?: ભારે અસમંજસ
ઘટનામાં એક વાત એવી મળી રહી છે કે, ટ્રાફિક સિગ્નલ બંધ હોય(રેડ લાઈટ) વાહન ચાલકો સિગ્નલ પર ઉભા હતા અને પૂરપાટ ધસી આવેલી બસએ વાહન ચાલકોને કચડી નાખ્યા હતા. બીજી બાજુ અકસ્માતના વાયરલ થયેલા સીસીટીવીમાં વાહનચાલકો પોતાના વાહન લઈને જઈને રહ્યા હતા અને પાછળથી બસના પૈડા ચાલકો પર ફરી વળ્યાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે હવે ટ્રાફિક સિગ્નલ ગ્રીન હતું કે રેડ તે અંગે ભારે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.
મૃતકો અને ઈજાગ્રસ્તોની ઓળખ
અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ઓડીટ શાખાના કર્મચારી રાજુભાઈ મનુભાઈ ગીડા (ઉં.વ.-35 રહે. સત્યમ પાર્ક), સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી (ઉં.વ.40 રહે. સ્વામિનારાયણ મંદિર નજીક, અક્ષર માર્ગ), સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના બાંધકામ વિભાગના ક્લાર્ક ચિન્મયભાઈ ઉર્ફે લાલો હર્ષદભાઈ ભટ્ટ, (ઉ.વ.25 રહે. હથિખાના શેરી નંબર-2) અને કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ (ઉ.વ. 56 રહે કોટેચા ચોક, કાલાવડ રોડ)નો સમાવેશ થાય છે. જયારે ચાર લોકોને ઈજા પહોંચી છે. જેમાં વિશાલ રાજેશભાઈ મકવાણા, ઉંમર વર્ષ-28,, સુરજ ધર્મેશ, ઉંમર વર્ષ-42,,સાનિયાબેન અજયભાઈ રાજભર, ઉંમર વર્ષ-17 અને, વિરાજબા મહાવીરસિંહ ખાચર, ઉંમર વર્ષ-07 નો સમાવેશ થાય છે.
મૃતકોને 15 લાખ અને ઇજાગ્રસ્તોને બે લાખની સહાય જાહેર કરતું કોર્પોરેશન
જીવલેણ અકસ્માત સર્જનાર સિટી બસના ડ્રાઇવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરાયો વિશ્ર્વમ એજન્સી સામે પણ આકરી કાર્યવાહી કરવાની કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓની ઘોષણા
આજે સવારે સિટી બસ દુર્ઘટનામાં મોતને ભેટેલા ચારેય મૃતકોના પરિવારજનોને 15 લાખની સહાય ચુકવવાની જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. અકસ્માતમાં ઘવાયેલા ચાર વ્યક્તિઓને બબ્બે લાખ ચુકવવામાં આવશે. જ્યારે સિટી બસનું સંચાલન કરતી વિશ્ર્વમ એજન્સી સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
આજે સવારે ઇન્દીરા સર્કલ પાસે, 150 ફૂટ રિંગ રોડ ખાતે સિટી બસ નંબર જીજે-03-બીઝેડ-0048 થી જે દુર્ઘટના બની છે. તેમાં ચાર લોકોના મૃત્યુ થયા છે. જેમાં મૃતકોમાં રાજકોટ મહાનગરપાલિકાના ઓડીટ શાખાના કર્મચારી રાજુભાઈ મનુભાઈ ગીડા (ઉ.વ.35), સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી, (ઉ.વ.40), બાલો ઉર્ફે ચિન્મયભાઈ હર્ષદભાઈ ભટ્ટ (ઉ.વ.25) અને કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ (ઉ.વ.56) નો સમાવેશ થાય છે. જ્યારે ચાર લોકોને ઈજા પહોંચી છે. જેમાં વિશાલ રાજેશભાઈ મકવાણા, સુરજ ધર્મેશ, સાનિયાબેન અજયભાઈ રાજબર અને વિરાજબા મહાવીરસિંહ ખાચરનો સમાવેશ થાય છે.
આ દુર્ઘટનાને અત્યંત આઘાતજનક ગણાવતા મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રાડિયાએ જણાવ્યું હતું કે, આ કરૂણ ઘટનામાં ઉદાહરણરૂપ કડક કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવ્યો છે તેમજ યોગ્ય તપાસ બાદ સિટી બસ ઓપરેશન સાથે સંકળાયેલ વિશ્ર્વમ એજન્સી સામે પણ આકરા પગલાં લેવામાં આવશે.
મૃતકોના પરિવારજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પંદર-પંદર લાખ રૂપિયાની સહાય તેમજ ઈજાગ્રસ્તોને બે-બે લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવેલ છે. સાથોસાથ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સની રકમ પણ મળવાપાત્ર થશે.
મુખ્ય એજન્સીનું પેમેન્ટ અટકાવાયું: પેટા એજન્સીનો સંચાલક ભાજપનો કાર્યકર હોવાની ચર્ચા
સિટી બસનું સંચાલન કોર્પોરેશનની રાજકોટ રાજપથ લીમીટેડ નામની એસપીવી દ્વારા કરવામાં આવી રહ્યું છે. સિટી બસનો કોન્ટ્રાક્ટ દિલ્હીની પીએમઆઇ એજન્સીને આપવામાં આવ્યો છે. આ એજન્સી દ્વારા પેટા કોન્ટ્રાક્ટ વિશ્ર્વમ એજન્સીને આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પેટા એજન્સીના સંચાલક ભાજપના કાર્યકર હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વિક્રમ ડાંગર નામનો વ્યક્તિ પાસે પેટા કોન્ટ્રાક્ટ છે. જે ભૂતકાળમાં ભાજપનો વોર્ડ મહામંત્રી રહી ચુક્યો છે. ઘટના બાદ તે ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા મુખ્ય એજન્સી પીએમઆઇનું 6 કરોડથી વધુનું પેમેન્ટ હાલ અટકાવી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
એજન્સી સામે આકરા પગલા લેવાની માત્ર વાત જ થશે કે કોઇ આકરી કાર્યવાહી કરાશે?
દર વખતે જ્યારે જીવલેણ દુર્ઘટનાઓ સર્જાય ત્યારે કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. તેવી ડંફાસો હાંકવામાં આવે છે. જો કે, ત્યારબાદ કોઇ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. એન્ટલાન્ટીસ એપાર્ટમેન્ટમાં આગની ઘટનાને એક મહિનો વિતી જવા છતાં હજુ સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. સિટી બસ દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા મૃતકોના પરિવારજનો અને ઇજાગ્રસ્તો માટે સહાય જાહેર કરી દેવામાં આવી છે. સાથોસાથ એવી પણ ડંફાસ મારવામાં આવી છે કે જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. હવે સમય જ બતાવશે કે તંત્ર દ્વારા કેવી આકરી કાર્યવાહી કરવામાં આવશે.