જુનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિન નિમિતે 75 કુંડી હવનોત્સવ યોજાયો હતો. જે અંતર્ગત ગુજરાતના પનોતા પુત્ર,વૈશ્વીક નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ માટે શહેરના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે 75 કુંડી “માર્કન્ડેય મહાપુજા સહ શાંતિ યાગ” “नमो हवनोत्सव”નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી મહાનગર તથા ભૂતનાથ મહાદેવ મંદિરના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢનાં નગર દેવતા ભૂતનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતા દ્વારા અલૌકિક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુનિત શર્મા, ગિરિસ કોટેચા, જયદેવ જોશી સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

ભાવેશ ઉપાધ્યાય 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.