• જૂનાગઢવાસીઓને રૂ.397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રી
  • હસનાપુર ડેમમાં એક કરોડ લીટર પાણીનો સંગ્રહ કરીને નવ બિલિયન વોટર ક્રેડિટ મેળવવાની જૂનાગઢની સિદ્ધિને મુખ્યમંત્રીએ બિરાદાવી

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે  વર્ચ્યુઅલી જૂનાગઢવાસીઓને રુ.397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ આપતા કહ્યુ કે, રાજ્યમાં શહેરી વિકાસમાં એક પણ નગર પાછળ ન રહે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે, જૂનાગઢ શહેરના આ વિવિધ વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્તથી ઇઝ ઓફ લિવિંગની નેમ સાકાર થશે.

મુખ્યમંત્રી એ ઉમેર્યુ કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસના ક્ષેત્રે રાજ્યને અગ્રીમ બનાવવાની દિશા આપી છે. ગુજરાત તેના શહેરી વિકાસના કારણે વિશ્વ ફલક પર નામાંકિત થયું છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા ઐતિહાસિક જૂનાગઢમાં પણ અદ્યતન વિકાસની રાજ્ય સરકારની નેમ છે, નરસિંહ મહેતાનું આ નગર આજે વિકાસની દિશામાં અગ્રેસર બન્યું છે.

શહેરી વિકાસમાં કોઈ નગર પાછળ ન રહી જાય તેવી પ્રતિબંધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે, પ્રધાનમંત્રી ના નેતૃત્વમાં શહેરી વિકાસની નવી પ્રણાલી પ્રસ્થાપિત થઈ છે, વધતી જતી શહેરી જનસંખ્યાને મૂળભૂત અને આંતર માળખાકીય સુવિધા આપવા રાજ્ય સરકાર પ્રતિબંધ છે. પ્રધાનમંત્રી  નરેન્દ્ર ભાઈ મોદીએ નાણાના અભાવે વિકાસનું કોઈ કામ અટકે નહીં તે માટે આગવું નાણાનું વ્યવસ્થાપન પણ કર્યું છે.

મુખ્યમંત્રી એ કહ્યું કે, તાજેતરમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના માળખાકીય વિકાસના કામો માટે રુ. 2,111  કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાને રુ.34.40 કરોડ ફાળવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી એ વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ ભાર મૂકતા જણાવ્યુ કે, જૂનાગઢ મહાનગરપાલિકા નંબર વન બને તેવું આયોજન થયું છે અને સૌ સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકાને ટોચના સ્થાને પહોચાડવામાં આવશે, તેમ પણ જણાવ્યુ હતુ.

કૃષિ રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી  રાઘવજીભાઈ પટેલે કહ્યુ કે, જૂનાગઢ શહેર વિસ્તારમાં સીસી રોડ, ડ્રેનેજ લાઇન, સ્વિમિંગ પુલ, જી આઇ એસ બેઇઝ મેચિંગ સહિતના વિવિધ વિકાસ કાર્યોનું રુ.397.78 કરોડના ખર્ચે ઇ લોકાર્પણ અને ઇ ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. શહેરી વિકાસના આ કાર્યો થકી રોજગારીનું સર્જન, કરવેરાની આવકમાં ઉમેરો, શહેરી અને આર્થિક વિકાસ થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના “વિકસિત ભારત  2047” ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલી કરી છે.

મંત્રીએ ઉમેર્યુ કે, શહેરના જોશીપુરા વિસ્તારના વેપારીઓના કોમર્શિયલ કોમ્પલેક્ષને લગતા પ્રશ્નનું પણ નિવારણ આવ્યું છે. શહેરમાં નરસિંહ મહેતા સરોવર અને વિલિગ્ડન ડેમના વિકાસ માટેના વિકાસકાર્યો તેમજ શહેરને 25 ઇ-બસ ફાળવવામાં આવશે.

આ પ્રસંગે મેયર  ગીતાબેન પરમારે જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારમાં પીવાના પાણીની સપ્લાય, હેરિટેજ બિલ્ડીંગ નરસિંહ મહેતા વિદ્યામંદિરના નવીનીકરણ,  મનાપા વિસ્તારમાં જીઆઈએસ બેસ મેપિંગ, સોલિડ વેસ્ટ સેગ્રીગેશન પ્લાન્ટ, ઇન્દ્રેશ્વર મંદિર ખાતેના વિકાસ કાર્યો સહિતના વિકાસ કાર્યોના થયેલા ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, રાજ્યના સરકારના અનુદાનથી જૂનાગઢ શહેરમાં ખૂબ વિકાસના કાર્યો થયા છે. તેમણે જોષીપરા ખાતેના કોમર્શિયલ શોપિંગ સેન્ટરના દબાણના પ્રશ્નનો હકારાત્મક નિકાલ માટે મુખ્યમંત્રીશ્રીનો વિશેષ આભાર માન્યો હતો.

મ્યુનિસિપલ કમિશનર  ઓમ પ્રકાશે મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ, કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી  રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોને આવકારતા શાબ્દિક સ્વાગત કર્યું હતું.

વિવિધ સ્વ સહાય જૂથને મંત્રી તથા મહાનુભાવોના હસ્તે   સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મેયર  ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર  ગીરીશભાઈ કોટેચા, કમિશનર, ઓમ પ્રકાશ કલેક્ટર  અનિલ કુમાર રાણાવસિયા, સ્ટેંન્ડિગ કમિટિના ચેરમેન  હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ  પુનિતભાઈ શર્મા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ, દંડક અરવિંદભાઈ ભલાણી, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ પોશિયા, વોટર વર્કસ સમિતિના ચેરપર્સન કુસુમબેન અકબારી, અગ્રણી સર્વ પ્રદીપ ખીમાણી,  ભરત ગાજીપરા,  મનન અભાણી,  વિનુભાઈ ચાંદીગરા સહિતના મહાનુભાવો અને જૂનાગઢ શહેરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.