- ભવનાથ તળેટી વિસ્તારમાં સાધુ સંતોનું આગમન
- સાધુઓ મેળા દરમિયાન પાંચ દિવસ ધુણા ધખાવીને કરશે શિવ આરાધના
- લોકોને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ
Junagadh : ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે શિવરાત્રીનો મેળો. જ્યારે શિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જુનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં સાધુ સંતોનું આગમન થઈ ચૂક્યું છે. અને સાધુ સંતો દ્વારા ધુણા બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે સાધુઓ શિવરાત્રીના મેળા દરમિયાન પાંચ દિવસ ધુણા ધખાવીને શિવ આરાધના કરશે અને શિવભક્તિમાં લીન થઈ જશે. આ ઉપરાંત તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેમજ લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડવાના લીધે લોકોને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ જોર શોરથી શરૂ કરવામાં આવી છે.
અનુસાર માહિતી મુજબ, ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે શિવરાત્રીનો મેળો. આ શિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જુનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં સાધુ સંતોનું આગમન થઈ ચૂક્યું છે અને સાધુ સંતો દ્વારા ધુણા બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
શિવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી
પરંપરાગત રીતે યોજાતા મહાશિવરાત્રીના મેળા ને લઈને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે દૂર દૂરથી સાધુ સંતો નું જૂનાગઢમાં આગમન થઈ ચૂક્યું છે ભવનાથ તળેટી વિસ્તારમાં શિવરાત્રીના મેળા દરમિયાન પાંચ દિવસ ધુણા ધખાવીને શિવ આરાધના કરશે અને શિવભક્તિમાં લીન થઈ જશે
દૂર દૂરથી માનવ મહેરામણ ઉમટી પડશે
મહાશિવરાત્રીના મેળા ને દિવસે સાધુઓની રવેડી નીકળતાની સાથે જ મેળો પૂર્ણ થશે. દૂર દૂરથી સાધુઓ આવી ચૂક્યા છે અને ભવનાથ વિસ્તારમાં પોતાની જગ્યા ઉપર ઈંટ,છાણ અને માટીથી ધુણા બનાવી રહ્યા છે.ત્યારે આ મેળામાં સામેલ થવા માટે દેશના અનેક રાજ્યોમાંથી અનેક લોકો લાખોની સંખ્યામાં ઉમટી પડશે.
શિવની આરાધનામાં લીન થઈ જશે ભક્તો તેમજ સાધુઓ
અલગ અલગ અખાડામાંથી સાધુઓ અહીં શિવ આરાધના કરવા 5 દિવસ દરમિયાન આવતા હોય છે તેમજ ગુરુદત્તાત્રેય મહારાજ પણ અલૌકિક રીતે આ મેળામાં આવતા હોવાની માન્યતા સાધુ-સંતોમાં છે અને તેમના દર્શન કરવા માટે અહી સાધુઓ શિવ મગ્ન બની એકાકાર થઈ નિજાનંદ મેળવતા હોય છે. અહી સાધુઓ શિવ આરાધના કરવા પાંચ દિવસ ધૂણી ધખાવીને આ શિવરાત્રીની ઉજવણી કરતા હોય છે. આ સાથે સાથે અલગ અલગ જગ્યાએથી આવતા સાધુઓના પણ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.
અહેવાલ : ચિરાગ રાજ્યગુરુ