અતિ પાવન મનાતા પર્યુષણ મહાપર્વ નિમિતે શહેરના મોટાભાગના જિનાલયોમાં હાલ શ્રદ્ધા-ભકિતનો માહોલ જોવા મળી રહ્યો છે. જૈનો પ્રભુજીની દિવ્ય આંગી અને આરતીનો લાભ લઈ રહ્યા છે. દરરોજ સવાર-સાંજ હજારો શ્રાવકો ભગવંતનું પુજન-અર્ચન કરી ભાવવિભોર બની રહ્યા છે. દરરોજ સામુહિક પ્રતિક્રમણ, સ્નાત્રપૂજા, વ્યાખ્યાનમાળા, આરતી, આંગી તથા ભાવના માટે જિનાલયો છલકાય રહ્યા છે. શહેરમાં પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં આવેલા જિનાલયમાં દરરોજ ભગવાનની દિવ્ય આંગીના દર્શનાર્થે શ્રાવકો ઉમટી પડે છે. જિનાલયને અદભુત નયનરમ્ય રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.