Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઇ ગામના પાટીયા પાસે જામનગરના કોન્ટ્રાક્ટર પર હુમલો કરી હત્યા નિપજાવવાનો મામલો સામે આવ્યો છે, જેમાં મૃતક ભિમશીભાઈ કે જેની હત્યા કરી નાખ્યા પછી આરોપીઓએ આ બનાવને અકસ્માતમાં મૃત્યુ તરીકે ગણાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો.WhatsApp Image 2023 12 01 at 11.13.00 421efd43

જે સમગ્ર મામલામાં જામનગર ગ્રામ્ય વિસ્તારના ડીવાયએસપી તેમજ સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફ વગેરે દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કર્યા પછી આ બનાવ હત્યારનો હોવાનું ગણ્યું હતું અને મૃતકના પત્ની ની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે. જોકે હાલમાં ત્રણ આરોપી ભાગી છુટયા હોવાથી પોલીસે તેઓને પકડવા માટે નાકાબંધી કરી છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.