Abtak Media Google News

જામનગર ન્યૂઝ : જામનગર મહાનગરપાલિકા દ્વારા નવાગામ ઘેડ વિસ્તારમાં બોક્ષ કેનાલનું કામકાજ ચાલી રહ્યું છે, ત્યારે આજે ચાલુ વરસાદમાં નવજીવન સોસાયટી વિસ્તારમાં પાણી ભરાતાં કેનાલ પર બનાવવામાં આવેલું પુલીયું કે જેના કારણે પાણીનો પ્રવાહ રોકાતો હોવાથી જેસીબી ની મદદથી તોડી પાડવામાં આવ્યું છે, અને પાણીનો પ્રવાહ ચાલુ કરી દેવાતાં આખરે સોસાયટી વિસ્તારમાં ભરાતા પાણીનો પ્રવાહ ધીમે ધીમે ઓછો થયો છે.Img 20240625 Wa0069

આસપાસના રહેવાસીઓની ફરિયાદના આધારે જામનગર મહા નગરપાલિકાની ટીમ આજે વહેલી સવારે નવજીવન સોસાયટી વિસ્તારમાં પહોંચી ગઈ હતી, અને ત્યાં બનાવાયેલું પુલિયુ કે જેને જેસીબી ની મદદ થી તોડી પાડવામાં આવ્યું હતું, અને પાણીનો પ્રવાહ ચાલુ કરી દેવાતા આસપાસના વિસ્તારમાં ધીમે ધીમે પાણી ઓસર્યા છે. જેથી સ્થાનિકોને રાહત થઈ છે.

સાગર સંઘાણી 

 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.