Abtak Media Google News
  • જામનગરના એડવોકેટ હારુન પલેજા હત્યાકાંડ
  • સાઈચા ગેંગના આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલાયા

જામનગર ન્યૂઝ : જામનગરના અતિચાર જનક એવા એડવોકેટ હારુંન પલેજાની હત્યા કેસમાં પોલિસ દ્વારા કુખ્યાત સાયચા ગેંગ ના ૧૫ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને જામનગરની જિલ્લા જેલમાં રાખવામાં આવ્યા હતા. તે તમામ આરોપીઓને અલગ અલગ જેલમાં રાખવા માટેનો નિર્ણય લેવાયો હતો, જેના અનુસંધાને તમામને રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

જે સાયચા ગેંગના આરોપી બસીર સાયચા અને ઉંમર સાયચા ને રાજકોટની જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, અને આજે સવારે તેઓની જેલ ટ્રાન્સફર કરવામાં આવ છે.આ ઉપરાંત સિકંદર સાયચા અને શબ્બીર સાયચાને સુરતની લાજપોર જેલમાં મોકલી દેવાયા છે. ઉપરાંત ઇમરાન સાયચા અને એજાજ સાયચાને અમદાવાદની જેલમાં, ગુલામ સાયચા અને રમજાન સાયચા ને વડોદરાની જેલ માં મોકલી દેવાયા છે.તેમજ દિલાવર અને સુલેમાન સાયચા ને ગાંધીધામ ગાડપદર જેલ માં, મહેબૂબ પલારાને ભુજની જેલમાં તેમજ અસગર સાયચા ને અમરેલીની જેલમાં મોકલવામાં આવ્યા છે.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.