Abtak Media Google News
  • કાશી વિશ્ર્વનાથ યુવક મંડળ-સમસ્ત ખવાસ રજપૂત સમાજ જામનગર દ્વારા આયોજન

Jamnagar: કાશી વિશ્ર્વનાથ યુવક મંડળ-સમસ્ત ખવાસ રજપૂત સમાજ જામનગર દ્વારા સતત ત્રીજા વર્ષે તા.12-8-2024ને શ્રાવણ માસના બીજા સોમવારે કાશી વિશ્ર્વનાથ મહાદેવની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ પાલખી યાત્રા બપોરે 4-00 કલાકે ખેત્રી ફળીની વાડીથી પ્રસ્થાન થઇ, આવારા ચકલો, સવાભાઇની શેરી, કરશનભાઇનો ચોક, દેવુભાનો ચોક, ચારણ ફળી, ધનબાઇનો ડેલો, ગીરધારી મંદિર, શાકમાર્કેટ, ઉપલા દાવલશા ફળી, દીપક ટોકીઝ, ચૌહાણ ફળી, તળાવ ફળી, ગોવાળ મસ્જીદ, પંચેશ્ર્વર ટાવર, બેડીનું નાકુ થઇ કાશી વિશ્ર્વનાથ રોડ થી થઇ શ્રી કાશી વિશ્ર્વનાથ મંદિર રાત્રે 9-30 વાગ્યે પૂર્ણાહુતી થશે.

આ અંગે શ્રી ખેત્રી ફળી, દાવલશા ફળી, તળાવ ફળી, કોટાવળ ફળી, ચૌહાણ ફળી, શ્રી દેશદેવ એજયુ. ચેરીટેબલ ટ્રસ્ટ-પ્રમુખ અને કારોબારી તથા ફળીના નોંધાયેલ તમામ સભ્યશ્રીઓને શ્રી કાશી વિશ્ર્વનાથ યુવક મંડળ-સમસ્ત ખવાસ રજપૂત સમાજ-જામનગરને આ પાલખી યાત્રામાં જોડાવવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પાલખી યાત્રામાં યુવક મંડળ દ્વારા પુરૂષો માટે પીળો ઝભ્ભો તથા સ્ત્રીઓ માટે બાંધણીની સાડીનો ડ્રેસ કોડનું આયોજન કરેલ છે. જેથી તમામ સભ્યોએ નંધ લેવા તેઓની યાદીમાં જણાવાયું છે. આ આયોજનના વધુ વિગત માટે મો.નં.9409346467 પર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.