Abtak Media Google News
  • પરપ્રાંતિય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી 

જામનગર ન્યૂઝ :  જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી એક બેકરીમાં ગઈ રાત્રી દરમિયાન પરપ્રાંતિય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮ માં આવેલી લક્ષ્મી બેકરીમાં રહીને કામ કરતા એક પરપ્રાંતિય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગઈ રાત્રી દરમિયાન દુકાનની અંદર પંખા ના હુકમા દોરડું બાંધી ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આજે સવારે બેકરી ખોલતી વખતે ઉપરોક્ત બનાવ અંગે ધ્યાન પડતાં વેપારી દ્વારા પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને સીટી એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી આ બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

અહેવાલ : સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.