Abtak Media Google News

જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં ચારણ યુવાન ની હત્યા નિપજાવવાના પ્રકરણમાં અનૈતિક સંબંધો કારણભૂત

હત્યારા આરોપીની પરણીત બહેન સાથે મૃતક યુવાનને સંબંધો હોવાના કારણે મન દુઃખ રાખીને હત્યા કર્યા ની ફરિયાદ

જામનગર ન્યુઝ :   જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા એક ચારણ યુવાન પર સ્થાનિક બાવરી શખ્સે છરી વડે હુમલો કરી દઇ હત્યા નીપજાવી હતી, જે પ્રકરણમાં અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું સામે આવ્યું છે. આરોપીની બહેન સાથે મૃતક યુવાનને સંબંધ હોવાના કારણે તેનું મન દુઃખ રાખીને છરી વડે હુમલો કરી હત્યા નિપજાવ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

આ હત્યાના બનાવની વિગત એવી કે જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા વિજસુર ધાનસુર વીર નામના ૨૧ વર્ષના ચારણ યુવાન પર શનિવારે બપોરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં હાપા ખારી વિસ્તારમાંજ રહેતા સુનિલ ચેતનભાઈ ડાભી નામના બાવરી શખ્સે જૂની અદાવતનું મનદુઃખ રાખીને છરી વડે હુમલો કરી દઈ હત્યા નિપજાવી હતી.

જે પ્રકરણમાં પંચકોશી એ. ડિવિઝનના પીએસઆઇ એ. કે. પટેલ અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, અને મૃતક વીજસુર ના નાના ભાઈ વાલસર ધનરાજભાઈ વીર ની ફરિયાદના આધારે હુમલાખોર આરોપી સુનિલ ચેતનભાઇ ડાભી સામે આઇપીસી કલમ ૩૦૨ અને જીપીએકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધ્યો છે.Whatsapp Image 2024 06 23 At 13.19.58 57E5F48B

આરોપીની બહેન સાથે અગાઉ મૃતક યુવાનને સંબંધો હતા, ત્યારબાદ તેણીના લગ્ન થઈ ગયા હતા, તેમ છતાં પણ મૃતકે વાતચિત અને સંબંધો ચાલુ રાખ્યા હતા,જેની જાણકારી આરોપીને થઈ હતી, જેનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસ દ્વારા આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.