Abtak Media Google News
  • જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા વિલિયમજોન્સ પીઝા પાર્લરમાં સૂપ માંથી વંદો નીકળ્યા ની ગ્રાહકની ફરિયાદ
  • જામનગર ના કમિશનરને ફરિયાદ કરાયા પછી ફૂડ શાખા દ્વારા પીઝા પાર્લરમાં હાઇજેનિક કન્ડિશન અંગે ચેકિંગ કરાયું

જામનગર મા ખોડીયાર કોલોની વિસ્તારમાં ક્રિસ્ટલ મોલમાં આવેલા વિલિયમ જોન્સ પિઝા પાર્લરમાં એક ગ્રાહકને સુપમાં વાંદો નીકળ્યો હોવાની ફરિયાદ મળી હતી, જે અંગે ગ્રાહક દ્વારા જામનગર મહાનગરપાલિકાના કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, અને મહાનગરપાલિકાની ફુડ શાખાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.

j1

ગત ૨૪મી તારીખે ખરીદેલા સુપમાં વાંદો નીકળ્યો હોવાની ફરિયાદ મળી હતી. જેના અનુસંધાને જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાની ટુકડીએ ગત ૨૭ મી તારીખે વિલિયમ જોન્સ પિઝા મા ચેકિંગ માટે પહોંચી હતી, અને હાઇજેનિક કન્ડીશન અંગે ચેકિંગ કરી જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી, અને ફરીથી સમગ્ર પીઝા પાર્લરને સેનિટાઇઝડ કરીને જ પીઝા પાર્લર ચાલુ કરવાની સૂચના આપી દેવામાં આવી હતી.

જામનગર:સાગર સંઘાણી 

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.