Abtak Media Google News
  • જામનગર શહેર જિલ્લા ભાજપના અગ્રણીઓ દિલ્હીમાં ભારતના વડાપ્રધાનના ત્રીજી વખત શપથ ગ્રહણ કાર્યક્રમમાં જોડાયા

જામનગર ન્યુઝ :  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કે જેઓ ગઇકાલે દિલ્હીમાં રાષ્ટ્રીય પતિ ભવન ખાતે સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કરીને દેશ ના વડાપ્રધાન બન્યા હતા, અને એનડીએ સરકાર ના સંચાલનમાં રાષ્ટ્રની ધૂરા સંભાળી હતી. જેઓનો ગઈકાલે શપથવિધિ સમારોહ યોજાયો હતો, જે સમારોહમાં જામનગર શહેર- જિલ્લાના ભાજપના અગ્રણીઓ પણ જોડાયા હતા.

જામનગર શહેર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગર ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ભારતીય જનતા પાર્ટીના જામનગર શહેરના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપના અગ્રણી વિનોદભાઈ ભંડેરી વગેરે શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભ ના સાક્ષી બન્યા હતા.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.