- ગુજરાત રાજ્યમાં મહેસુલ વિભાગ હસ્તકની કચેરીમાં ફરજ બજાવતા 157 નાયબ મામલતદારની બદલીનો આદેશ
- જામનગરના 17 નાયબ મામલતદારની અન્ય જિલ્લામાં બદલી
- હાલારના બન્ને જિલ્લામાં 9ની નિમણુંક
ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓને લઈને સમાચાર સામે આવ્યા છે. જેમાં વિભાગ દ્વારા મોટાપાયે ફેરફાર કરીને 157 નાયબ મામલતદાર અને 57 રેવન્યુ કલાર્કની બદલીના આદેશ કર્યા છે. જેમાં જામનગરના 17 નાયબ મામલતદારની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે, તેમજ હાલારના બન્ને જિલ્લામાં 9ની નિમણુંક કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં મહેસુલ વિભાગ હસ્તકની કચેરીમાં ફરજ બજાવતા 157 નાયબ મામલતદારની બદલીની ગંજીફો ચિપાયો છે. જેમાં જામનગર જિલ્લામાંથી 17 નાયબ મામલતદારને અન્ય જિલ્લામાં મૂકવામાં આવ્યા છે. જ્યારે બીજા જિલ્લામાંથી 9 મામલતદારની જામનગર-દ્રારકામાં નિમણૂંક કરાઇ છે.
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા 157 નાયબ મામલતદારની કરાયેલી બદલીમાં જામનગરના 17 નાયબ મામલતદારનો સમાવેશ થાય છે. જેમાં દેવાંગકુમાર વી. રામાવતને રાજકોટમાં, જ્યોતિ કે. પરમારને રાજકોટમાં, બલભદ્રસિંહ જે. વનોલને સુરેન્દ્રનગરમાં, જયદિપ એ. ડાંગરને રાજકોટમાં, અનિરૂદ્ધસિંહ એ. ગોહિલને રાજકોટમાં, સંજયકુમાર કે. ફોફરને મોરબીમાં, હિતેષ બી. ગઢવીને મોરબીમાં, હિરેનકુમાર વી. વ્યાસને ભાવનગરમાં, યુવરાજસિંહ ડી. ડોડિયાને સુરેન્દ્રનગરમાં, વિજયસિંહ એન. ગોહિલને સુરેન્દ્રનગરમાં, રોનકકુમાર જે. પઢારિયાને બનાસકાંઠામાં, માધવી એ. પાટડિયાને બોટાદમાં, વિશાલ પી. કાનાણીને રાજકોટમાં, મિતેષકુમાર વી. ઠાકરને રાજકોટમાં, ક્રિપાલસિંહ આર. પરમારને સુરેન્દ્રનગરમાં, રમેશ વી. પાડાસગ્યિાને બોટાદમાં, અને વનરાજસિંહ વી. વાળાની સુરેન્દ્રનગરમાં બદલી કરવામાં આવી છે.
જયારે જામનગરમાં જૂનાગઢથી પાયલ આર. કોઠારીને મૂકવામાં આવ્યા છે. અન્ય 8ને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિમણૂક આપવામાં આવી છે. જેમાં ભાવનગરથી વી.સી. પોલાડિયા, દાહોદથી એસ.પી. નાલવાયા, મહેસાણાથી નરેન્દ્ર એમ. ચૌધરી, વડોદરાથી નરેશ પી. વણકર, અમદાવાદથી કાજલ જે. પટોલિયા, ખેડાથી જી.સી. બારિયા, ગાંધીનગરથી સુરેશ એ. ચાવડા અને મહેસાણાથી રાકેશ એલ. ચૌધરીનો સમાવેશ થાય છે.
અહેવાલ : સાગર સંઘાણી