Abtak Media Google News
  • જગન્નાથ પૂરી મંદિરના ચારેય દરવાજા ફરીથી ખોલવાનો નિર્ણય લેવાયો 

નેશનલ ન્યૂઝ : રાજ્ય સરકારે તમામ મંત્રીઓની હાજરીમાં આવતીકાલે વહેલી સવારે પુરી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. ભક્તોને ચારેય દરવાજા દ્વારા મંદિરમાં પ્રવેશ મળશે,” માઝીએ કહ્યું. મંદિરના તમામ દરવાજા ખોલવા એ ભાજપના ચૂંટણી ઢંઢેરાના વચનોમાંનું એક હોવાનું જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે દરવાજા બંધ થવાને કારણે ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નવા મુખ્યમંત્રીએ કરી હતી પૂજા 

ગુરુવારે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ મંદિરમાં પૂજા કરી હતી. આ દરમિયાન ભાજપના સાંસદ સંબિત પાત્રા, પ્રતાપ ચંદ્ર સારંગી સહિત અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા. તેમણે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તમામ કપાટ ખોલવા અંગે જાણકારી આપી હતી.

મંદિર માટે મોટું ફંડ જાહેર કરવાની તૈયારી 

તેમણે કહ્યું કે અમે કાલે કેબિનેટની બેઠકમાં જગન્નાથ મંદિરના ચારેય કપાટ ખોલી નાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આજે સવારે 6:30 મિનિટ પર આ પ્રસ્તાવને મંજૂરી મળી. મેં મારા ધારાસભ્યો અને પુરીના સાંસદ સાથે મંગળા આરતીમાં જોડાયો. તેમણે કહ્યું કે આગામી બજેટમાં મંદિરના મેનેજમેન્ટ માટે 500 કરોડ રૂપિયાના ફંડની ફાળવણી પણ કરાશે.

 

 

 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.