જગન્નાથ રથયાત્રા 2024 : દર વર્ષે અષાઢ મહિનામાં જગન્નાથજી રથ પર સવાર થઈને યાત્રા માટે નીકળે છે. ચાલો જાણીએ કે જગન્નાથ રથયાત્રાના 10 દિવસનું શેડ્યૂલ શું છે.

ઓડિશાના પુરીમાં જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા 7મી જુલાઈ 2024ના રોજ કાઢવામાં આવશે. જેમાં ભગવાન જગન્નાથ, સુભદ્રા દેવી અને બલભદ્ર ભવ્ય રથ પર સવાર થઈને ગુંડીચા મંદિર તરફ આગળ વધશે.

Rats invade Odisha's Puri Jagannath temple, nibble away attires of gods - India Today

વર્ષોથી એવી માન્યતા છે કે આ રથયાત્રા દરમિયાન ભગવાનના દર્શન કરવાથી પાપોનો નાશ થાય છે અને તમારું મન શુદ્ધ થાય છે. ભગવાન જગન્નાથ રથયાત્રાનું આયોજન 10 દિવસ સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન ઘણી પરંપરાઓ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ રથયાત્રા મહોત્સવના દસ દિવસનું સંપૂર્ણ સમયપત્રક

જગન્નાથ રથયાત્રા 2024 નું સંપૂર્ણ સમયપત્રક :

જગન્નાથ રથયાત્રા ક્યારે શરૂ થાય છે.

Bahuda Rath Yatra: Devotees Gather In Huge Numbers To Mark Lord Jagannath's Return Car Festival. IN PICS7મી જુલાઈ 2024ના રોજ જગન્નાથજી બલભદ્ર અને સુભદ્રાને રથમાં બેસાડવામાં આવશે અને તેઓ સિંહદ્વારથી નીકળીને ગુંડીચા મંદિર તરફ આગળ વધશે.

File:Balabhadra Subhadra Jagannath.jpg - Wikimedia Commons

8 થી 15 જુલાઈ 2024 ના રોજ રથ ગુંડીચા મંદિરમાં રહેશે. અહીં તેમના માટે વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે અને આજના સમયે પણ તેનું પૂરેપુરું પાલન થાય છે. અહીં ભક્તો આવીને દર્શન કરે છે.

જગન્નાથ રથયાત્રાની પૂર્ણાહુતિ :

ત્રણેય દેવતાઓ 16મી જુલાઈ 2024ના રોજ જગન્નાથ મંદિર પરત ફરશે.

ગુંડીચા મંદિરમાં શું થાય છે?

Gundicha Temple, odisha Tourism 2021 | How to reach in Gundicha Temple, Things to do, Temple, Timing, Architecture - Tripinvites - TripInvites

માસીના ઘરે રોકાણ દરમિયાન ભગવાન જગન્નાથના દર્શનને આદપ-દર્શન કહેવામાં આવે છે. આ દિવસો દરમિયાન ભગવાન જગન્નાથને નાળિયેર, માલપુઆ, લાઈ, ગજામુંગ વગેરેનો મહાપ્રસાદ ચઢાવવામાં આવે છે. આ પછી ભગવાન પોતાના ઘર એટલે કે જગન્નાથ મંદિરમાં પાછા ફરે છે.

2024માં જગન્નાથ રથયાત્રાની તારીખ

હિંદુ કેલેન્ડર અનુસાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તિથિ 7 મી જુલાઈ, 2024 ના રોજ સવારે 04:26 વાગ્યે શરૂ થઈ રહી છે. દ્વિતિયા તિથિ 8મી જુલાઈ, 2024 ના રોજ સવારે 04:59 વાગ્યે સમાપ્ત થશે. તેથી ઉદયા તિથિ અનુસાર, જગન્નાથ રથયાત્રા 2024 માં 7 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.