ધાર્મિક ગ્રંથોમાં શંખને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને તેને દેવી લક્ષ્મીનો મોટો ભાઈ માનવામાં આવે છે. તેમજ શંખનો ઉપયોગ પૂજામાં એક મહત્વપૂર્ણ સાધન તરીકે થાય છે. જે નેગેટિવ એનર્જીને દૂર કરવામાં અને પોઝિટિવિટીને આકર્ષવામાં મદદ કરે છે.

અનુસાર માહિતી મુજબ, ઘર કે મંદિરમાં શંખ ​​રાખવાથી ધાર્મિક લાભ તો થાય જ છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને શુભ પણ માનવામાં આવે છે. જો કે શંખ રાખવાના કેટલાક નિયમો છે, જેમ કે શંખ હંમેશા ઉત્તર દિશામાં રાખવો જોઈએ અને તેની નિયમિત પૂજા કરવી જરૂરી છે. આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.

ખાલી શંખ શા માટે ન રાખવો જોઈએ? :

1SHANKH

એ વાત સાચી છે કે શંખને ઘરમાં કે મંદિરમાં રાખવાથી ઘરમાં આશીર્વાદ રહે છે, પરંતુ ઘણા લોકો કોઈ પણ પ્રકારની પૂજા કે પ્રક્રિયા કર્યા વગર જ શંખ રાખે છે. તેમજ જ્યોતિષશાસ્ત્ર મુજબ ખાલી શંખનો ઉપયોગ કરવો યોગ્ય નથી. શંખને પ્રભાવશાળી બનાવવા માટે તેની પૂજા અને અભિષેક કરવો જોઈએ.

શંખ માત્ર રાખવાથી તે તેની એનર્જી આપતું નથી એટલે કે સંપૂર્ણતા અને શક્તિ આપતું નથી. તેથી જો તમે તમારા ઘર અથવા મંદિરમાં શંખને રાખવા માંગતા હોવ તો પહેલા તેને સારી રીતે સ્નાન કરાવો અને ત્યારપછી તેની વિધિવત પૂજા કરો અને પછી જ તેને સ્થાપિત કરો. આ પ્રક્રિયા શંખમાં પોઝિટિવ એનર્જીનો સંચાર કરશે. જે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવવામાં મદદ કરશે.

શંખની યોગ્ય જાળવણી :

SHANKH2

 

ઘર અથવા ઘરના મંદિરમાં શંખ ​​રાખવાથી પોઝિટિવિટી આવે છે. પરંતુ જો શંખ ખાલી રાખવામાં આવે તો તેનાથી નેગેટિવ એનર્જીનો પ્રવાહ વધી શકે છે. તેમજ ખાલી શંખ તેની શુભતા અને દૈવી ઉર્જા ગુમાવે છે, એટલું જ નહીં તે ઘરના વાતાવરણને પણ અસર કરે છે.

આ દરમિયાન શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે શંખમાં હંમેશા શુદ્ધ પાણી ભરવું જોઈએ. કારણ કે પાણીની શુદ્ધતા શંખમાં પોઝિટિવ ઉર્જાનો સંચાર કરે છે. આ સિવાય શંખને ફૂલોથી પણ ભરી શકાય છે. જે ન માત્ર શંખની સુંદરતામાં વધારો કરે છે પરંતુ તેને વધુ શુભ અને ઉર્જાથી ભરપૂર પણ બનાવે છે. તો આમ શંખને યોગ્ય રીતે રાખવા અને પૂજા કરવાથી ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ વધે છે.

ફૂલોથી શંખ ભરો :

SHANKH 1

શંખને ફૂલોથી ભરી રાખવાથી ઘરમાં પારિવારિક શાંતિ જળવાઈ રહે છે અને પરિવારના સભ્યો વચ્ચે તાલમેલ સુધરે છે. તેમજ તે ઘરની સુંદરતા તો વધારે છે પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે. જ્યારે શંખમાં ફૂલો હોય છે, ત્યારે તે વાતાવરણને વધુ ખુશનુમા બનાવે છે, જે મધુરતા અને સંવાદિતાને ખીલવા દે છે. આ સિવાય શંખને ફૂલોથી ભરવાથી ગ્રહદોષ પણ દૂર થાય છે. કારણ કે તેનાથી શુભ અને સકારાત્મકતા વધે છે. તેમજ આમ શંખને ફૂલોથી ભરેલું રાખવું એ એક સરળ પણ અસરકારક ઉપાય છે. જે માત્ર વ્યક્તિગત જ નહીં, પરંતુ સામૂહિક સમૃદ્ધિ પણ વધારે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.