મોરબી ખાતે ગઈકાલે આવકવેરા વિભાગે મીટીંગ યોજી ઉદ્યોગકારોને એડવાન્સ ઇન્કમટેક્સ ભરવા અપીલ કરવામાં આવી હતી.

મોરબી સિરામિક એસોસિયેશનની ઓફિસ ખાતે સેમિનાર હોલમાં ગઈકાલે આવક વેરા વિભાગના આધિકારીઓ એ ઉદ્યોગકારો સાથે એક ખાસ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ મિટિંગમાં એડવાન્સ ટેક્સ ભરવા ઉદ્યોગકારોને અપીલ કરવામાં આવી હતી.

વધુમાં એડવાન્સ ટેક્સ ભરાવાથી થતા ફાયદા અંગે આવક વેરા વિભાગના આધિકારીઓએ વિસ્તૃત માહિતી આપી હતી. આ અંગે મોરબી ફ્લોર ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ પ્રફુલભાઇ દેત્રોજાએ જણાવ્યું હતું કે આ સેમિનારમાં એડવાન્સ ટેક્સ ભરવા બાબતે વિગતવાર ચર્ચા કરાયા બાદ આવક વેરા વિભાગના આધિકારીઓ દ્વારા આવક વેરાને લગતા પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.