Abtak Media Google News

ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને અઈં ના યુગમાં શિક્ષણના નવા આયામો ખુલી રહ્યા છે : ડિસ્ટન્સ લર્નિંગ અને એક્સટર્નલ શિક્ષણ આજે ઉપલબ્ધ: ભવિષ્યમાં મૂલ્યાંકન સિસ્ટમમાં પણ ધરખમ ફેરફાર આવશે

રાષ્ટ્રની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સ્વાસ્થ્યની જવાબદારી શિક્ષકની હોય છે48e91120 0c9b 4b78 b80b f6004e596359

શિક્ષકનો ધર્મ વિદ્યાર્થીને ઉત્થાન કરવાનો હોય છે. સમાજ માટે અને પોતાના આર્થિક ઉપાર્જન પ્રવૃત્તિને મુખ્ય ન બનાવી અને સમાજના સારા માર્ગે લઈ જવા માટે શિક્ષક સંસ્કારનું સિંચન કરતો હોવો જોઈએ. રાષ્ટ્રની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સ્વાસ્થ્યની જવાબદારી શિક્ષકની છે.

ચાણક્યે બહુ સાચી વાત કહી છે કે શિક્ષક ની ગોદમાં પ્રલય અને નિર્માણ રમતા હોય છે, આનો અર્થ બે રીતે લઈ શકાય છે શિક્ષક ધારે તો સમાજને ખૂબ ઊંચા સ્થાન સુધી લઈ જાય અને નીચે પણ નાખી શકે છે એટલે સાંપ્રત સમયમાં શિક્ષકના આ બહુ આયામી પાસાઓને જોવા જઈએ તો શિક્ષકનો ધર્મ ઉચ્ચ ગુણવત્તા વાળો હોવો જોઈએ કારણકે શિક્ષક થી બાળકના સર્વાંગી વિકાસની સાથે સાથે ઘર કુટુંબ ગામ અને રાષ્ટ્રનો વિકાસ પણ જોડાયેલો હોય છે.  કોઈ એક શિક્ષક જ્યારે એક નાની ભૂલ કરે ત્યારે બહુ બહુ જ મોટા ફલકમાં નુકસાન થાય છે, દાખલા તરીકે કોઈ એક એન્જિનિયર જ્યારે ભૂલ કરે ત્યારે આર્થિક નુકસાન જાય છે, કોઈ ડોક્ટર ભૂલ કરે ત્યારે તો વ્યક્તિને નુકસાન થાય છે પણ જ્યારે શિક્ષક ભુલ કરે ત્યારે તે આખા સમાજને લાંબા સમય સુધી નડે છે, એટલે તો કહી શકીએ કે શિક્ષક સમાજનો એક શિલ્પી છે. એટલે જ શિક્ષક નિષ્ઠાવાન, પ્રાણવાન, અને ગુણવાન હોવો જોઈએ.

આજના યુગમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું અંતર સતત વધતું જાય છે, તેના વિવિધ કારણો છે જેમાં શિક્ષણ પદ્ધતિ, શિક્ષકોને બાળકો વચ્ચે આત્મીયતાનો અભાવ, ટ્યુશન પ્રથા, શિક્ષણમાં અયોગ્ય સ્ટાફને નિમણૂક, વાલીઓની વધારે પડતી સંતાનો માટેની અપેક્ષાઓ અને મોટાભાગની શૈક્ષણિક સિસ્ટમ માત્ર સરકારી નોકરીની જરૂરિયાત બની ગઈ છે. આજના યુગમાં બાળક શાળાએ જાય એ પહેલા ઘણું બધું પોતાની જાતે કે પરિવારમાંથી શીખી લેતો હોય છે, ત્યારે આપણને પ્રશ્ન થાય કે શું શિક્ષક વગર આપણે ભણી શકીએ? નાના બાળકો કે ધોરણ 12 સુધી કદાચ શાળાઓની જરૂરિયાત ગણી શકાય પણ ઉચ્ચ શિક્ષણ માટે હવે વિદ્યાર્થીઓએ જાતે તૈયારી કરીને જ્ઞાનવર્ધક બનવું પડશે. શિક્ષણ પદ્ધતિના પાયા પર ચાલતી વ્યવસ્થામાં શિક્ષકનો મહત્વનો રોલ હોય છે વિદ્યાર્થીની કારકિર્દી અને જીવનને ઘડનાર સાચો કલાકાર શિક્ષક જ હોઈ શકે.

શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનિષ્ઠાના પ્રથમ અક્ષરનો શબ્દ એટલે શિક્ષક, એ પોતાની ભૂમિકા અને જવાબદારીઓ પ્રત્યે સભાન હોવો જોઇએ, રાષ્ટ્રની સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક સ્વાસ્થ્યની જવાબદારી શિક્ષકની છે. આજે શિક્ષણ વર્ગખંડની ચાર દિવાલોમાંથી બહાર આવીને ઘર, સમાજ અને વિશ્ર્વમાં વિસ્તારી ચુકયું છે. આજના સમયમાં શિક્ષણ પડકાર રૂપ છે, કારણ કે રાષ્ટ્રની સામાજીક, સામાજીક અને આર્થિક વ્યવસ્થ્યની જવાબદારી તેના શિરે છે. તે છાત્રો માટે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડની ભૂમિકા ભજવેછે. આજનું શિક્ષણ આમ જોઇએ તો શૈક્ષણિક વ્યવસાય જ છે. વધતા જતા ટેકનોલોજીના ઉપયોગને કારણે આગામી દિવસોમાં શિક્ષણમાં પણ ધરખમ ફેરફાર જોવા મળશે.

એક માતા સો શિક્ષકની ગરજ સ્તરે છે, એટલે કે શિક્ષકને માસ્તર કહેવાય છે. આ વ્યવસાયમાં પણ વિકાસની હરણ ફાળ તેના સંબોધનમાં ક્રમિક ફેરફારો થયા જેમાં માસ્તર, શિક્ષક, ટીચર, સર આવી ગયું વર્ષો પહેલા એ ગુરૂ સ્થાને ગુરૂજી કહેવાતા હતા. ગુરૂકુળ આશ્રમમાં ભણાવે તે ગુરૂજી અર્થાત ઋષી, મા-બાપનું કાર્ય જયાં પૂર્ણ થાય ત્યાંથી શિક્ષકનું કાર્ય આરંભ થાય છે. તેથી શિક્ષક તેના કાર્યો સંપૂર્ણ સજજ અને સજજતાવાળો હોવો જોઇએ, જો આમ ન બને તો વર્ગ ખંડના બાળકોનું ભવિષ્ય રૂંધે છે બાળક પર મા-બાપ પછી સૌથી વધુ પ્રભાવ શિક્ષકનો જોવા મળે છે. શિક્ષક જ બાળકના જ્ઞાનરૂપી મૂળિયાં મજબૂત કરે છે.

વિદ્યારૂપી સાથેનું શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્ય ક્ષેત્ર વિશાળ કે શિક્ષણની પ્રક્રિયા વિઘાથીના કેન્દ્ર સ્થાને છે. બાળકોના રસ, રૂચિ, વલણો આધારીત વર્ગખંડની શિક્ષકમાં શકિત, પવિત્રતા, પ્રેમ, જ્ઞાન, શાંતિ અને આનંદ જેવા ગુણો હશે તો જ તે બાળકોનો આદર્શ બની શકશે, વિઘાર્થીઓ પણ પ્રેરણાં આપનાર શિક્ષક ને વધુ યાદ રાખે છે. વેદમાં પણ એક જગ્યાએ શિક્ષકને માતૃવિદ્ કહ્યો છે, માતૃ એટલે માર્ગ-ગમન અને વિદ એટલે તેને ખોળનાર. નવી ટેકનોલોજીમાં આજનો શિક્ષક ક્રિએટીવીટી, ઓઘ્યાત્મિક સાથે ઇમોશનલી અને જ્ઞાની હોવો જોઇએ. દ્રશ્ય શ્રાવ્ય કે ઇન્ફરમેશન ટેકનોલોજીના ઉપયોગથી છાત્રોને જ્ઞાન સભર કરી શકે છે,

બાળક સાથેનું શૈક્ષણીક મનોવિજ્ઞાનનું કાર્ય ક્ષેત્ર વિશાળ કે શિક્ષણની પ્રક્રિયા વિઘાર્થીના કેન્દ્ર સ્થાને છે. બાળકોના રસ, રૂચિ, વલણો આધારીત વર્ગખંડની શિક્ષણની ગતિવિધી હમેશા સારા પરિણામો લાવે છે એટલે જ શિક્ષક સજજતાનું વિશેષ મહત્વ છે. શિક્ષક બાળકોનો પ્રેરણાસ્ત્રોત હોવો જરુરી છે. ભૂતકાળમાં શિક્ષકોને ભરપુર આદર મળતો, આજે તો એ સાવ સમાજ ભૂલી ગયો છે. જેમના માથે સમાજનું ભવિષ્ય છે તે હમેંશા આદરણીય જ હોય છે. શિક્ષક ખુબ જ શ્રઘ્ધાવાન હોય છે. નબળા બાળકોને સબળા બનાવવા માટે તેની સખત મહેનત મૂલ્યાંકન બાદ રંગ લાવે ત્યારે તેનો આનંદ અનેરો હોય છે. એ પણ શિક્ષક જ છે. આપણે પ મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ, ઉત્કૃષ્ઠ પ્રદાન કરનારને સમાજ અને સરકાર એવોર્ડ આપીને તેનું સન્માન કરે છે.

આજે તમે જુના શિક્ષકો અને હાલના શિક્ષકો જોવો તો તમને ઘણું પરિવર્તન  લાગશે, ટેકનોલોજી સાથે ભૌતિક સુવિધા વધતા બદલાવ આવ્યો છે. પણ શિક્ષણ અને વિઘાર્થી વચ્ચેનો આદર્શ સંબંધ, પરસ્પર વિશ્ર્વાસ કયારેય બદલાશે નહીં, તેનો ધર્મ જ છાત્રોને જ્ઞાન સભર કરીને શ્રેષ્ઠ નાગરીકોનું ઘડતર કરવાનો છે. વર્ગ ખંડના બધા છાત્રો સાથેનો સંબંધ અને દરેક સાથે તેમનો વ્યકિતગત સંબંધ બન્ને પ્રકારો મહત્વના છે. આજના શિક્ષણમાં ઘણી કચાસ જોવા મળે છે. આજેનો શિક્ષક, વાલી અને વિઘાર્થીના ત્રિવેદી સંગમ થકી સફળતા શકય બનશે એવું લાગે છે. આજે શિક્ષકે માહિતીના મશીનગથી વિઘાર્થીઓનો માનસિક ભાર વધારવાનો નથી પરંતુ વર્ગખંડનો માહોલ જ એવો બનાવો કે બાળક જાતે પોતે ભણતો થાય, કોઇપણ વ્યવસાય પછી તે રસપ્રદ હોય કે પડકાર રૂપ, એક વખતએ રોજીંદો કામ બની જાય પછી કંટાળાની લાગણી જ પકડે છે. પણ શિક્ષણનો વ્યવસાય આ વાતમાં અપવાદ છે કારણ કે 365 દિવસ સતત સક્રિય રીતે ભણાવે છે.

આદર્શ શિક્ષક બનવા સજજતા પ્રાપ્ત કરવી જરુરી છે. જેમાં હકારાત્મક વિચારો, બાળ મનોવિજ્ઞાનનો અભ્યાસ, પ્રયોગત્મક શિક્ષણ અને પ્રોત્સાહન રૂપી માર્ગદર્શન જેવા તમામ પાસા સાથે નિપુર્ણ હોવું જરૂરી છે. એક વાત શિક્ષકે સમજવી જોઇએ કે વિઘાર્થીઓની એકાગ્રતાનો ગાળો ઓવો હોય છે માટે તેને છાત્રોને ટૂંકા વિરામો સાથે મૂલ્યાંકન  કરવું જોઇએ, શિક્ષણની વિવિધ ટેકનીકનો શિક્ષક જ્ઞાતા હોવો જોઇએ, પ્રવૃતિ સાથેનું શિક્ષણ સૌથી શ્રેષ્ઠ સાબિત થયું છે. શિક્ષક દરેક ક્ષેત્રે ઓલ રાઉન્ડરની ભુમિકા માટે સજજ રહેતો હોવો જોઇએ.

સાચો શિક્ષક જ બાળકોને જીવન મુલ્ય શિક્ષણ આપે છે. જ્ઞાન સાથે ગમ્મતથી ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા ભારેખમ વિષયો શિક્ષક પોતાની આગવી સ્ટાઇલ છાત્રોને શીખવે છે. આજનું બાળક ગુગલ ની દુનિયાનું જ્ઞાન હોવું જરુરી છે. અસરકાર વર્ગ  વ્યવસ્થા શિક્ષકનું મુખ્ય હથિયાર છે તે જેટલું સબળ તેટલું જ શૈક્ષણિક કાર્ય સબળ બને છે. વર્ગ ખંડનો તમામ બાળક કલાસ રૂમની દરેક પ્રવૃતિ સાથે સબળ બને છે. વર્ગ ખંડનો તમામ બાળક કલાસરૂમની દરેક પ્રવૃતિ સાથે જોડાય તે અતિ આવશ્યક છે. આજે તો શિક્ષકે વિઘાર્થીના વ્યકિતગત ગુણો અને સ્વભાવથી પણ પરીચિત થશે તો જ તેના વર્તનમાં ફેરફાર કરી શકશે.

આજે આપણે શાળા સંકુલોમાં દરેક શિક્ષક  એક-બીજાથી તેમના જ્ઞાન, શિક્ષણ ટેકનીક જેવી વિવિધ પાસાથી અલગ પડે છે. દરેક વિષય  વાઇઝ અલગ શિક્ષકો શાળામાં હોય છે.

સંગીત, ચિત્ર, રમતગમત વિગેરે જેવી સહઅભ્યાત્મિક પ્રવૃતિ માટે પણ તેના નિષ્ણાંતો કાર્યરત હોય છે. છતાં બાળકોનો સર્વાંગી વિકાસ થતો નથી એ એટલું જ નગ્ન સત્ય છે. ગુરૂ વગર તમે કેટલા પણ સફળ રહો, પણ સર્વશ્રેષ્ઠ નથી બની શકાય. શિક્ષણની  પ્રક્રિયામાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ અગત્યની હોય છે. કારણકે વિદ્યાર્થી કે બાળક ના મસ્તિકમાં ગુરુનું સ્થાન એટલે કે શિક્ષકનું સ્થાન સર્વોત્તમ હોય છે. એટલે આપણે કહેવું હોય તો કહી શકીએ કે ભવિષ્યના સમાજના કે રાષ્ટ્રના ઘડવૈયા માટે શિક્ષક હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.