- આગામી વર્ષમાં અર્થતંત્ર ટનાટન!!!
- પ્રથમ ક્વાર્ટરમાં 6.7 ટકા, બીજા ક્વાર્ટરમાં 7.0 ટકા અને ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં 6.5 ટકાના દરે વૃદ્ધિ પામવાની ધારણા
એપ્રિલ 2025 થી શરૂ થતા આગામી બે નાણાકીય વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દર વર્ષે 6.7 ટકાના દરે સ્થિર રહેવાની ધારણા છે. વૈશ્વિક અર્થતંત્રમાં 2025 અને 2026માં 2.7 ટકા વૃદ્ધિનો અંદાજ છે, જે 2024 ની જેમ જ છે. કારણ કે ફુગાવો અને વ્યાજ દરો ધીમે ધીમે ઘટી રહ્યા છે. વિકાસશીલ અર્થતંત્રોમાં પણ આગામી બે વર્ષમાં લગભગ 4.2 ટકાની સ્થિર વૃદ્ધિની અપેક્ષા છે. રવિ પાકની સારી સંભાવનાઓ અને ઔદ્યોગિક પ્રવૃત્તિમાં અપેક્ષિત સુધારો આગામી નાણાકીય વર્ષ 2025-26માં આર્થિક વિકાસને ટેકો આપશે. ત્રણ દિવસની નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટ 2025-26 માં કર રાહતને કારણે સ્થાનિક વપરાશ મજબૂત રહેવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2025-26 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.7 ટકા રહેવાનો અંદાજ છે. પ્રથમ ક્વાર્ટરમાં તે 6.7 ટકા, બીજા ક્વાર્ટરમાં 7.0 ટકા અને ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં 6.5 ટકાના દરે વૃદ્ધિ પામવાની ધારણા છે.ગયા અઠવાડિયે સંસદમાં રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે, ભારતનો અર્થતંત્ર 2025-26માં 6.3-6.8 ટકાના દરે વૃદ્ધિ પામશે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં, જીડીપી વૃદ્ધિ દર ચાર વર્ષના નીચલા સ્તરે 6.4 ટકા રહેવાનો અંદાજ છે. આ પછી જ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે, 2025-26ના બજેટમાં વપરાશ વધારવા માટે મધ્યમ વર્ગને અત્યાર સુધીની સૌથી મોટી આવકવેરા મુક્તિ આપવાની જાહેરાત કરી છે. સર્વિસ સેક્ટરમાં વિસ્તરણ ચાલુ રહેવાની અપેક્ષા છે અને મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી મજબૂત થવાની ધારણા છે, જેને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અને વ્યાપાર વાતાવરણમાં સુધારો કરવાના સરકારના પ્રયાસોને ટેક્સ રિફોર્મ્સ દ્વારા ટેકો મળશે.