Abtak Media Google News
  • ચમચીને બદલે હાથથી ખાઓ ભોજન, પાચન સંબંધી સમસ્યાઓ રહેશે દૂર
  • હાથ વડે ભોજન ખાવાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે, જેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે.
  • હાથ વડે ખાવાની આદતથી વધુ પડતું ખાવાનું ટાળી શકાય છે અને વજનને નિયંત્રણમાં રાખી શકાય છે.

પ્રાચીન સમયમાં લોકો હાથ વડે ભોજન લેતા હતા. હાથ વડે ખાવાનું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર હાથ વડે ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે. જેના કારણે અનેક રોગોનો ખતરો ટળી જાય છે. આ ઉપરાંત હાથ વડે ખાવાનું ખાવાથી વજન અને સ્થૂળતાને પણ નિયંત્રણમાં રાખી શકાય છે.

હાથ વડે ખાવાના ફાયદાઃ

9 Reasons why you must feel good about eating with hands | The Times of India

હાથ વડે ખાવાની માત્ર એક પરંપરા નથી, પરંતુ આ પરંપરાથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. આયુર્વેદે પણ આ વાત સ્વીકારી છે. જરૂરિયાત અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને, ભલે લોકોએ હવે ચમચીથી ખાવાનું શરૂ કર્યું છે, જ્યારે પણ હાથથી ખાવાની તક મળે ત્યારે આ તક ગુમાવવી ના જોઈએ. આયુર્વેદ આપણને પ્રકૃતિ સાથે જોડવાનું કામ કરે છે.

ચાલો જાણીએ આ ફાયદાઓ વિશે.

આયુર્વેદ મુજબ હાથ વડે ખાવાનું ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે.

આયુર્વેદ મુજબ, હાથની પાંચ આંગળીઓ આકાશ (અંગૂઠો), વાયુ (તર્જની), અગ્નિ (મધ્યમાની આંગળી), પાણી (અનામિકા), પૃથ્વી (નાની આંગળી) દર્શાવે છે. હાથ વડે ખાવાથી શરીરમાં આ પાંચ તત્વોનું સંતુલન જળવાઈ રહે છે અને શરીરને ઉર્જા પણ મળે છે.

Eating with hands vs forks and knives | The science and benefits - The Art of Living

આ સિવાય જ્યારે આપણે આપણા હાથથી ખોરાકને સ્પર્શ કરીએ છીએ, ત્યારે મગજને એક સંકેત મોકલવામાં આવે છે કે આપણે ખાવા માટે તૈયાર છીએ, જેના કારણે મગજ જરૂરી પાચન ઉત્સેચકો છોડે છે, જે ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે.

હાથ વડે જમતી વખતે આપણે સમજી શકીએ છીએ કે કેટલું ખાવું, શું ખાવું અને કઈ ઝડપે ખાવું, જે પાચનક્રિયાને સરળ બનાવવામાં મદદ કરે છે.

જો તમારે પાચનતંત્રને સ્વસ્થ રાખવું હોય તો ચમચી છોડીને હાથથી ખાવાની ટેવ પાડો, પરંતુ હાથથી જમતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો. જમતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.