Abtak Media Google News

જો તમારી પાસે કાર છે, તમારી પાસે ફાસ્ટેગ છે અને પર્યાપ્ત બેલેન્સ પણ છે તો પણ તમારે તપાસ કરવી જોઈએ કે તમે તમારું કેવાયસી પૂર્ણ કર્યું છે કે નહીં. જો તમે ન કર્યું હોય તો નેશનલ હાઇવે ઓથોરિટીએ જાહેર કર્યું છે કે બેંકો 31 જાન્યુઆરીના રોજ અપૂર્ણ કેવાયસ ધરાવતા ફાસ્ટેગને નિષ્ક્રિય કરી દેવાશે. નેશનલ હાઇવે ઓથોરિટીએ કહ્યું છે કે વપરાશકર્તાઓએ રિઝર્વ બેંકનીમાર્ગદર્શિકા દ્વારા ફરજિયાત ફાસ્ટેગ માટે કેવાયસી પૂર્ણ કરવાની જરૂર છે. રાજ્યની માલિકીની નેશનલ હાઇવે ઓથોરિટીએ સોમવારે કહ્યું કે માન્ય બેલેન્સ સાથે ફાસ્ટેગ પરંતુ અપૂર્ણ કેવાયસી સાથે 31 જાન્યુઆરી, 2024 પછી બેંકો દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે. કોઈપણ અસુવિધા અટકાવવા માટે હાઇવે ઓથોરિટીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વપરાશકર્તાઓએ તેમના વાહનના ફાસ્ટેગ માટે કેવાયસી પૂર્ણ કરવાની ખાતરી કરવી આવશ્યક છે.

કેવાયસી પૂર્ણ નહિ થયું હોય તો આપોઆપ ફાસ્ટેગ નિષ્ક્રિય થઇ જશે

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, હાઇવે ઓથોરિટી ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમની કાર્યક્ષમતા વધારવા અને વન વ્હીકલ, વન ફાસ્ટેગ પહેલ દ્વારા ટોલ પ્લાઝા પર સીમલેસ હિલચાલ પ્રદાન કરવા માંગે છે. હાઇવે અનુસાર આ પહેલ બહુવિધ વાહનો માટે એક જ ફાસ્ટેગના દુરુપયોગ અથવા ચોક્કસ વાહન સાથે બહુવિધ ફાસ્ટેગને લિંક કરવા માટે નિરુત્સાહિત કરવા માટે રચાયેલ છે. ફક્ત નવીનતમ ફાસ્ટેગ એકાઉન્ટ જ સક્રિય રહેશે કારણ કે અગાઉના ટેગ્સ 31મી જાન્યુઆરી 2024 પછી નિષ્ક્રિય/બ્લેકલિસ્ટ કરવામાં આવશે, હાઇવે ઓથીરિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. વધુમાં ફાસ્ટેગ વપરાશકર્તાઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ’વન વ્હીકલ, વન ફાસ્ટેગ’ સિદ્ધાંતનું પાલન કરે. અગાઉ તેમની સંબંધિત બેંકો દ્વારા ફાસ્ટેગ જારી કરવામાં આવ્યા હતા.હાઇવે ઓથોરિટીએ જણાવ્યું છે કે ફાસ્ટેગ વપરાશકર્તાઓ નજીકના ટોલ પ્લાઝા સુધી પહોંચી શકે છે અથવા તેમની સંબંધિત ઇશ્યુ કરનાર બેંકોના ટોલ ફ્રી કસ્ટમર કેર નંબરનો સંપર્ક કરી શકે છે. હાઇવે ઓથોરિટીએ વધુમાં જણાવ્યું હતું કે કોઈ ચોક્કસ વાહન માટે બહુવિધ ફાસ્ટેગ જારી કરવાના તાજેતરના અહેવાલો પછી આ પહેલ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.