ફેસબુકના સહ–સ્થાપક માર્ક ઝુકરબર્ગ પોતાના સર્જન બદલ લોકોની જાહેર માફી માગી હતી. ઝુકરબર્ગે કહ્યું હતું કે લોકોને એકમેક સાથે જોડવા માટે અમે ફેસબુક બનાવ્યું હતું પણ આજે તે લોકો વચ્ચે ભેદભાવ પેદા કરવાનું કામ કરે છે એ જોઈને મને દુ:ખ થાય છે. ઝુકરબર્ગે આ માટે માફી માગી હતી. ૩૩ વર્ષીય ઝુકરબર્ગે કોઈ ચોક્કસ ઘટનાને ટાંકી નહોતી પણ હાલમાં જ અમેરિકી અખબાર વોશિંગ્ટન પોસ્ટએ દાવો કર્યો હતો કે એક દાયકા અગાઉ રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં અમેરિકી જનમતને દોરવા માટે ફેસબુકનો દુરુપયોગ કર્યો હતો. માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે મારા કારણે જે કોઈને પણ હાનિ પહોંચી છે તેઓ મને માફ કરે, હું વધુ સારો બનવાનો પ્રયત્ન કરીશ. ટૂંકી પોસ્ટમાં ઝુકરબર્ગે એમ પણ કહ્યું હતું કે મારું સર્જન (ફેસબુક) લોકોને પરસ્પર જોડવાને બદલે જે રીતે લોકો વચ્ચે ભાગલા પાડી રહ્યું છે એ બદલ મને માફ કરશો. હાલમાં જ ફેસબુકે જાહેરાત કરી હતી કે તે ૩ હજાર જાહેરખબરોની નકલ કોંગ્રેસને આપશે. આ જાહેરખબરો રશિયન કંપનીએ ૨૦૧૫થી ૨૦૧૭ દરમ્યાન ૧૦ હજાર ડોલરમાં આપી હતી. આ જાહેરખબરો રશિયામાંથી ઓપરેટ થતાં ૪૭૦ એકાઉન્ટ સાથે સંકળાયેલી હતી. જાહેરખબરમાં ટ્રમ્પની તરફેણમાં જનમત કેળવાય એ માટે ગે રાઇટ્સ, ગન ક્ધટ્રોલ, ઇમિગ્રેશન વિશેનાં લખાણો પ્રકાશિત કરાયાં હતાં. એ પછી ઝુકરબર્ગે લાઇવ વીડિયોમાં જણાવ્યું હતું કે લોકશાહીમાં અસંતુલન પેદા કરવા માટે અમે ફેસબુકનો ઉપયોગ થવા દઈશું નહીં.
Trending
- હકાભા ગઢવીને રાજકોટ સિવિલનો થયો કડવો અનુભવ..!
- પરમાણુ ઉર્જા ક્ષેત્રે ભારત ડંકો વગાડવા સજ્જ
- ભારતના હિતોને ધ્યાનમાં રાખી ટેરિફ કરાર થશે: સંસદને સરકારની હૈયા ધારણાં
- કોંગોમાં ફૂટબોલ ખેલાડીઓથી ભરેલી બોટ પલટી મારતા 25 વ્યકિતના મોત
- પૂ. જગાબાપાની 12મી પૂણ્યતિથિ, જગદીશ્ર્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે ભકિત, ભજન, ભોજનનો ત્રિવેણી સંગમ
- મુળીના સાંગધ્રા ગામની વાડીમાં સંઘરેલો રૂ.81.97 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસી
- છેલ્લા બે વર્ષમાં 17000થી વધુ કરચોરીના કેસો નોંધાયા: અનેકના જીએસટી નંબર રદ!!!
- 50 કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એકસપિરિયન્સ સેન્ટર બનાવાશે