Himmatnagar: ભારત ભરમાં ગણેશ મહોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે હિંમતનગર ખાતે પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરાય છે. ત્યારે ગાયત્રી યુવા ગ્રુપ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દરરોજ અલગ અલગ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવે છે.

Screenshot 1 11

ત્યારે તે કાર્યક્રમો અંતર્ગત એક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેટી બચાવો, પાણી બચાવો સાથે સ્વચ્છતા રાખો જેવા મુદ્દાઓને લઈ કલાકારોએ અભિનય કર્યો હતો. નરેન્દ્ર મોદી દ્રારા ચાલી રહેલી મુહિમ સ્વચ્છતા હી સેવા અંતર્ગત આયોજકોએ પ્રધાનમંત્રી થી પ્રેરાઈને આ નાયકનું આયોજન કર્યુ હતું.  જેમાં પોતાના ઘર થી લઇ દેશ કઈ રીતે સ્વચ્છ રાખવો તે દર્શાવવામાં આવ્યું હતું. ત્યારે આ નાટક જોવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકો એ નાટક નિહાળી સ્વચ્છતા રાખવાની વાત સ્વીકારી હતી.

સંજય દિક્ષિત

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.