Abtak Media Google News

જામનગરને જોડતા 3 સ્ટેટ હાઇવે, અમરેલીને જોડતો એક તેમજ પોરબંદર રાજકોટ હાઇવે પણ પાણી પાણી, વાહન વ્યવહાર ખોરવાયો

હવામાન વિભાગની મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે રાજ્યમાં પાંચ સ્ટેટ હાઈવે સહિત 64 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જામનગર, વલસાડ, રાજકોટ અને દ્વારકામાં થયો છે. તે ઉપરાંત છેલ્લા બે કલાક એટલે કે આજે સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 100થી વધુ તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 180 મિમી અને રાજકોટના લોધિકામાં 150 મિમી વરસાદ ખાબક્યો છે.

બીજીબાજુ વાત કરવામાં આવે તો, બનાસકાંઠાના કુલ 1, વડોદરનો 1, છોટાઉદયપુરનો 1, નર્મદાનો 1, નવસારીના 4,  વલસાદનો લોકલ 1 અને પંચાયતના 3, ડાંગ પંચાયતના 10, જામનગરના 3 સ્ટેટ હાઇવે, ભાવનગરનો 1, જૂનાગઢ પંચાયતના 3, અમરેલી સ્ટેટ હાઇવેનો 1 અને પંચાયતના 3 રસ્તા તેમજ પોરબંદર સ્ટેટ હાઇવે નો 1 રસ્તો સહિત કુલ 64 હાઇવે ભારે વરસાદને કારણે બંધ કરવામાં આવ્યા છે.

બે દિવસ ભારે વરસાદની સંભાવનાને પગલે ગઉછઋ અને જઉછઋની ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. ઈંખઉના અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ 5ડવાની સંભાવના રહેલી છે, જેથી અગમચેતીનાં પગલાંરૂપે રાહત બચાવકાર્ય અંગે જરૂર પડે ગઉછઋ અને જઉછઋની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે એ અંગે સૂચના આપવામાં આવી છે.

રાજકોટ-જૂનાગઢ સહિતના 130 એસ.ટી રૂટ બંધ કરાયા

સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદના કારણે એસ.ટી.બસોના વ્યવહાર ઉપર ખાસ અસર થઈ છે.ગઈકાલથી જ સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદને કારણે આજ સવારથી જ મોટા ભાગમાં એસ.ટી રૂટો બંધ કરી દેવાયા છે. જામનગર સંપર્ક વિહોણું બન્યું છે.રાજકોટ, જૂનાગઢ સહિતના 130 એસટીના રૂટ બંધ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમરેલી-ભાવનગરમાં પણ હાઈ-વે ઉપર પાણી ભરતા કેટલાક રૂટ બંધ કરવાની વિચારણા હાલમાં ચાલી રહી છે.

ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ઉપર વૃક્ષો ધરાશાઈ થતા સ્થાનિકોને અવર-જવર કરવી મુશ્કેલ બનવા પામી છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસતા ટ્રેન વ્યવહારમાં પણ ખાસ અસર થવા પામી છે. મુંબઈથી જામનગર આવતી ટ્રેનોનો રાજકોટમાં સ્ટોપ આપી દેવાયો છે કેમ કે જમનગરમાં મુશળધાર વરસાદ વરસતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.