હર હર હર શિવ ઓમ નમ: શિવાય. હર હર હર શિવ, હર હર હર શિવ. શિવોહમ, શિવોહમ, જી હા, પવિત્ર શ્રાવણના પ્રથમ સોમવારે રાજકોટ શહેરનાં નાના-મોટા સહુ શિવ મંદિરો શિવમય બની ગયા હતા. કેમ કે, સહુ કોઈ સ્પેશ્યલી શણગારાયેલા શિવલિંગના દર્શને દોડયા હતા. જાણે અમૃતનું ઝરણું વહેતુ હોય રાજકોટની રૈયત જેમ ખાવા પીવા માટે ‘કુખ્યાત’ છે તેટલી જ દાન ધરમ, ભકિતભાવ અને ધાર્મિક તહેવારોની ઉજવણી માટે પ્રખ્યાત પણ છે. શ્રાવણીયા સોમવારે જાગનાથ, પંચનાથ, ઈંદ્રેશ્ર્વર, ધારેશ્ર્વર, અમરનાથ, ભકિતધામ, કાશી વિશ્ર્વનાથ વિગેરે શિવ મંદિરોમાં આફ્રિકા કોલોનીમાં નિલકંઠ મહાદેવ મંદિરે ૧ લાખ ૨૫ હજાર ‚દ્રાક્ષનાં શિવલિંગ અને ૧૦૧ દીપ માળા આરતી કરાઈ હતી. ધારેશ્ર્વર મહાદેવ મંદિર (ભકિતનગર સર્કલ) ખાતે સંધ્યા આરતી ટાણે ભાવિકો શિવમય બની ગયા હતા. પંચનાથ અને જાગનાથ મંદિરે પણ લગભગ આવો જ માહોલ હતો. શ્રાવણમાં પૂણ્યની કમાણી કરવા લોકો વિવિધ બાધા આખડી રાખવા પણ મદિરે પહોચતા હોય છે. જેથી મનની મુરાદ જલ્દી પૂરી થાય.
Trending
- સૌરાષ્ટ્રના લોકપ્રિય લોકમેળાની અસમંજસ ચકડોળે ચડી!!!
- રૂખડીયાપરામાં 11 વર્ષીય બાળકીની કૌટુંબિક કાકાએ જાતીય સતામણી કરી
- કાલથી ફરી ક્રિકેટ ફિવર: કાલથી સૌરાષ્ટ્ર પ્રો ટી20 લીગનો પ્રારંભ
- રંગોલી પાર્ક વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ પર કલેક્ટરની તવાઈ: 15 પાર્ટી પ્લોટની તપાસ
- ક્યારેક તો વિચાર્યું જ હશે કે મૃ*ત્યુ પછી થાય છે શું ?
- વિધાનસભા બેઠકની પેટા ચુંટણીમાં વિસાવદરના 30 ગામોની જવાબદારી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાના શીરે
- શું તમે પણ ચોખા ધોયા પછી પાણી ફેંકી દો છો..?
- મંજૂરી વિના લગાવાયેલા 1674 બોર્ડ બેનરો જપ્ત: 4.64 લાખનો દંડ વસુલાયો