• વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પોલેન્ડના વોર્સોમાં સ્થિત જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સ્મારકે  શ્રદ્ધાંજલિ “વિકાસ ભી, વિરાસત ભીના” મંત્રને સાર્થક કરે છે: મંત્રી ઋષિકેશ પટેલ’
  • દ્વિતીય વિશ્ર્વયુધ્ધ દરમિયાન જામસાહેબએ પોલેન્ડના 600થી વધુ બાળકોને ગુજરાતમાં આશરો આપીને તેમના “વાલી” ભૂમિકા ભજવી હતી
  • વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા. 21 અને 22 ઓગષ્ટ એ યુરોપના પોલેન્ડ દેશની મુલાકાતે છે.

વડાપ્રધાનએ આજે પોલેન્ડના વોર્સોમાં સ્થિત સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના નવા નગરના જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલ સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ મુલાકાતને આવકારીને ટ્વિટમાં જણાવ્યું કે, ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે. વડાપ્રધાનની આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાતને ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હોવાનું જણાવી આ મુલાકાત

” વિકાસ ભી, વિરાસત ભીના” મંત્રને સાર્થક કરે છે તેમ ઉમેર્યું હતું.

મંત્રીએ જણાવ્યું હતું કે, જામસાહેબના નામથી વોર્સોવામાં મહારાજા સ્ટેટના સ્મારક ઉપરાંત,પોલેન્ડમાં કેટલીક સ્કૂલના નામ, રોડના નામપણ દિગ્વિજયસિંહ જાડેજાની સ્મૃતિમાં આપવામાં આવ્યા છે.

મંત્રી ઋષિકેશ પટેલ એ જામસાહેબના યોગદાનનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા તોફાનોને કારણે પોલેન્ડના 600 જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રયનું સ્થાન આપ્યું હતું .

આ બાળકોને રહેવા માટેનું ઉત્તમ સ્થાન, શિક્ષણ અને ભોજન સહિતનીજીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પૂરી પાડી હતી .

વિશ્વયુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી જામ સાહેબે બધા જ બાળકોને પોલેન્ડ પરત મોકલ્યા હતા. જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના આ સેવાકાર્યો સમગ્ર ભારત અને ગુજરાત માટે કાયમના સંસ્મરણોબની રહ્યા છે તેમ મંત્રી ઋષિકેશ પટેલ એ ઉમેર્યું હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.